Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

કેરળમાં કોવિડથી સંક્રમિત પિતા માટે પાંચ દિવસ સુધી ભોજન પહોંચાડયા પછી પિતાના મૃત્‍યુના સમાચાર પુત્રને મળ્‍યા

પિતાની લાશ શબઘરમાં હતી અને ભોજન કપડા ભળતા નામવાળી વ્‍યકિતને અપાતા હતા

તિવનંતપુરમઃ કેરળમાં કોવિડ-૧૯થી પ્રભાવિત એક વ્‍યકિત (પિતા) માટે પુત્ર સતત પાંચ દિવસ સુધી ભોજન કપડા પહોંચાડતો રહ્યો પછી ખબર પડી કે તેમના પિતા મૃત્‍યુ પામ્‍યા છે અને પાંચ દિવસ સુધી તેમના પિતાની લાશ શબઘરમાં પડી રહી હતી.

દરમિયાન જે પુત્ર પોતાના પિતા માટે ભોજન કપડા લાવતો હતો તે ભોજન કપડા હોસ્‍પિટલ સ્‍ટાફ અન્‍ય ભળતા નામવાળી વ્‍યકિતને પહોંચાડી રહ્યા હતા. આ ગંભીર ઘટનાની તપાસ કરવા મુખ્‍યમંત્રી વિજયએ ખાત્રી આપી છે.

(12:00 am IST)