Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

કોવિડ-૧૯

ઓકસફર્ડ વેકસીનના ટ્રાયલ દરમ્યાન એક વોલીયન્ટરના મોતથી ખળભળાટ

જો કે ટ્રાયલ રોકવામાં નહિ આવે

ન્યુર્યોક,તા. ૨૨:  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મુજબ દુનિયાભરમાં લગભગ ૧૨ વેકસીન એવી છે જેના ટ્રાયલ અંતિમ ચરણમાં છે. આ ટ્રાયલમાં ઓકસફર્ડ યુનિવર્સિટી અને AstraZenecaની કોરોના વેકસીનને સૌથી સારી ગણાવવામાં આવી રહી છે. જોકે ખરાબ સમાચાર એ છે કે આ વેકસીનના ટ્રાયલ દરમિયાન બ્રાઝીલમાં એક Volunteerનાં મોત થયું છે

 બ્રાઝીલની હેલ્થ ઓથોરિટી Anvisaએ બુધવારે જણાવ્યું કે વેકસીનના ટ્રાયલમાં સામેલ એક Volunteerનાં મોત ભલે થયું હોય પરંતુ મોતનું કારણ વેકસીન નથી. બ્રાઝીલે નિર્ણય કૃયો છે કે આ ઘટના બાદ પણ હાલ ટ્રાયલ નહીં રોકવામાં આવે

 ફેડરલ યુનિવર્સિટી ઓફ સાઓ પાઓલોની મદદથી બ્રાઝીલમાં કોરોનાની વેકસીન AZD૨૨૨નાત્રીજા ચરણનું ટ્રાયલ ચાલી રહ્યું છે. યુનિવર્સિટીએ જાણકારી આપી છે કે જે Volunteerનાં મોત થયું છે તે બ્રાઝીલનો રહેવાસી છે. બ્લૂમબર્ગ મુજબ આ વ્યકિતની ઉંમર ૨૮ વર્ષની હતી અને તેને તમામ વેકસીન નહોતી આપવામાં આવી.

 Anvisaએ કહ્યું કે દુર્દ્યટના બાદ પણ વેકસીનનું ટ્રાયલ ચાલતું રહેશે પરંતુ આ વિશે વધુ જાણકારી નથી આપવામાં આવી. બીજી તરફ ઓકસફર્ડના વૈજ્ઞાનિકોએ કહ્યું કે વેકસીનની સુરક્ષાને લઈ ચિંતાની વાત નથી. આ પહેલા સપ્ટેમ્બરમાં બ્રિટનમાં વેકસીનના ટ્રાયલ દરમિયાન એક Volunteerદ્ગચ હાઙ્ખસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. બીજી તરફ દક્ષિણ કોરિયામાં પણ ફ્લૂ શોટ લગાવ્યા બાદ પાંચ લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે.

 રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકામાં પણ હવે જ્ઝ્રખ્હ્ય્ સેફ્ટી ડેટા રિવ્યૂ બાદ ટ્રાયલ ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ હવે ફરી એકવાર સવાલ ઊભા થયા છે કે બ્રાઝીલની દ્યટના બાદ શું નિર્ણય લેવામાં આવશે. બીજી તરફ કોરોનાના સંક્રમણને લઈ બ્રિટનના ટોપ વૈજ્ઞાનિક સલાહકારના દાવાથી લોકોની ચિંતા વધી ગઈ છે

 મહામારી માટે રચવામાં આવેલી બ્રિટિશ સરકારની સલાહકાર સમિતિના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે કહ્યું કે કોરોનાને કયારેય ખતમ નહી કરી શકાય. તે લોકોની વચ્ચે હંમેશા રહેશે. તેઓએ કહ્યું કે જોકે એક વેકસીન હાલની સ્થિતિને થોડી સારી કરવામાં મદદ ચોક્કસ કરશે

 કોરોનાની વિરુદ્ઘ જંગમાં સૌથી અગત્યની માનવામાં આવી રહેલી ઓકસફર્ડ યુનિવર્સિટી અને AstraZenecaના કોવિડ-૧૯ વેકસીનના ટ્રાયલ દરમિયાન બ્રાઝીલમાં એક Volunteerના મોત બાદ પણ ટ્રાયલ નહીં રોકવામાં આવે.

(10:37 am IST)