Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

હવે દેશ વિદેશના ભકતો ઘેરબેઠા મંગાવી શકશે હનુમાનગઢીનો પ્રસાદ

પ્રસાદ અનુસાર ૨૫૧ કે ૫૫૧ રૂપિયાનું મનીઓર્ડર કરવાનું રહેશેઃ ટપાલ વિભાગ

અયોધ્યાઃ અયોધ્યાના હનુમાનગઢીનો પ્રસાદ હવે દેશના ખૂણેખૂણા સુધી પહોંચશે. દેશ- વિદેશમાં રહેલા ભકતો ઘરેબેઠા બજરંગબલીને ધરાવાતા ભોગનો પ્રસાદ મંગાવી શકે છે. ટપાલ વિભાગે આ સેવા શરૂ કરી છે. પ્રસાદની સાથે જ હનુમાનજીનો ફોટો અને હનુમાન યંત્ર પણ મળશે.

આ સેવાની શરૂઆત પોસ્ટમાસ્ટર જનરલ વિવેકકુમાર દક્ષે રામલીલામાં હનુમાનજીની ભૂમિકા નિભાવી રહેલા અભિનેતા વિંદુદારાસિંહની ઉપસ્થિતિમાં કરી. હનુમાનગઢીનો પ્રસાદ મેળવવા માટે ભકતોએ ૨૫૧ અથવા ૫૫૧ રૂપિયાનો મનીઓર્ડર કરવો પડશે. મની ઓર્ડર ''સબ પોસ્ટમાસ્ટર અયોધ્યા, પીનકોડ ૨૨૪૧૨૩''ને મોકલવાનો રહેશે. મનીઓર્ડર મળ્યા પછી સંકટમોચન સેના ટ્રસ્ટ દ્વારા હનુમાન ગઢી મંદિરના સૌજન્યથી  ઉપલબ્ધ પ્રસાદ ટપાલ વિભાગ શ્રધ્ધાળુઓને પહોંચાડશે.

(3:19 pm IST)