Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ચીનની ઉશ્કેરણીથી હવે નેપાળનો નવો દાવ : કાલાપાની ,લિપુલેખ ,તથા લિપીયાધુરામાં વસતિ ગણતરી કરશે

કાઠમંડુ : ચીનની ઉશ્કેરણીથી નેપાળે હવે નવો દાવ ખેલવાનું નક્કી કર્યું છે.જે મુજબ તેણે નવા નકશામાં સમાવિષ્ટ કરી દીધેલા ભારત અને નેપાળની સરહદ ઉપરના ગામો કાલાપાની ,લિપુલેખ ,તથા લિપીયાધુરામાં વસતિ ગણતરી કરશે.જે માટે સરકારી અધિકારીઓ ઘેર ઘેર જઈને વસતિની નોંધ કરશે .

જોકે આ બાબતમાં ખુદ તેમના દેશમાં જ સહમતી સાધી શકાઇ નથી.કારણકે જાણકારોના મતે ભારતીય સૈન્ય આ યોજના અમલી બનવા નહીં દયે
ઉલ્લેખનીય છે કે લિપુલેખમાં  છેલ્લા 6 દાયકાથી વસતિ ગણતરી થઇ નથી.

(1:00 pm IST)