Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

NRE બન્યા ૨૭૦૦ વૃદ્ધોની ટેકણલાકડી : ગોકુલધામ નાર ખાતે વૃદ્ધોને ટેકણલાકડી અને વોકરનું કરાયું વિતરણ

અમદાવાદ : ગોકુલધામ નાર દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે . જેના ભાગરૂપે તાજેતરમાં વૃદ્ધાશ્રમના વૃધ્ધો તથા નાર તારાપુરની આસપાસના વૃધ્ધોને વોકીંગ સ્ટીક ( ટેકણ લાકડી ) તથા વોંકરના વિતરણનો કાર્યક્રમ અમેરીકાનાં દાતાશ્રીઓનાં આર્થિક સહકારથી યોજવામાં  આવ્યો  હતો.
       આ કાર્યક્રમમાં  ૨૭૦૦ નંગ સ્ટીકનું   વિદેશી દાતાઓના આર્થિક સહયોગથી વૃદ્ધોને વિતરણ કરવામાં આવ્યું  હતું.
      અમેરીકા સ્થિત વર્જીનીયાબીચ સેવા મંડળના શૈલેષભાઈ પટેલ , મનનભાઈ શાહ , રૂદ્રાક્ષભાઈ પટેલ , દિપકભાઈ પટેલ , જૈનિશભાઈ પટેલ , મિતુલભાઈ પટેલ , હિરેનભાઈ પટેલ , ભાવેશભાઈ પટેલ , અતુલભાઈ પટેલ , અમીતભાઈ પટેલ , સંજયભાઈ પટેલ , મૌલીનભાઈ શાહ , ભુપેન્દ્રભાઈ તારાપુરના આર્થિક સહયોગથી રૂ .૯ લાખના ખર્ચે આ સ્ટીક અને વોકર તૈયાર કરી આપવામાં આવ્યા હતા.
     રોટરી કલબ તારાપુરના પ્રમુખ શુભાષભાઈ  તથા સભ્યોની  મદદથી  અસરકારક વિતરણનું  આયોજન કરવામાં આવ્યું  હતું. ગોકુલધામ નાર દ્વારા વડોદરા જિલ્લાના પાંચ વૃદ્રાશ્રમો માં પણ ટેકણલાકડી નું વૃદ્ધો ને વિતરણ કરવામાં આવ્યું હતું.
       આ કાર્યક્રમમાં  નૌતમસ્વામી - વડતાલ , પુરાણીસ્વામી , ગોકુલધામ નારના સંતો શુકદેવસ્વામી હરિકેશવસ્વામી,અગ્રણી મહેશભાઈ, મહેશભાઈ પુજારા - મુંબઈ , રાજેશભાઈ સરપંચ નાર , નિલેશભાઈ ઠાકરે , કેતનભાઈ , જશભાઈ આશી , નગીનભાઈ શાહપુર , મહેન્દ્રભાઈ અમીન સહિત  આસપાસના ગામોના વૃદ્ધો હાજર રહ્યા હતા.

(7:42 pm IST)