Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

શ્રીનગરમાં અનુભવાયો ધરતીકંપનો આંચકોઃ તીવ્રતા ૩.૬

શ્રીનગર, તા.૨૩: શ્રીનગરમાં મંગળવારે રાત્રે મધ્યમ તીવ્રતાના ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો જેની તીવ્રતા ૩.૬ માપાઈ હતી. ભૂકંપના ડરથી લોકો દ્યરોની બહાર નીકળી ગયા હતા. અધિકારીઓ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂકંપ રાત્રે ૯.૪૦ વાગ્યે આવ્યો હતો અને તેનું કેન્દ્ર શ્રીનગરમાં જમીનથી પાંચ કિલોમીટર નીચે સ્થિત હતું.આ ભૂકંપથી હજી સુધી કોઈ નુકસાન કે જાનહાનિ થઈ નથી. કાશ્મીર ખીણના મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

(9:59 am IST)