Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

જમ્મૂ-કાશ્મીરના સાંબા સેક્ટરમાં મળી લાંબી સુરંગ :ધુસણખોરી માટે આતંકીઓએ ઉપયોગ કર્યાની શંકા

ઠાર કરાયેલા જૈશ-એ-મોહમ્મદના 4 આતંકવાદીઓએ આ સુરંગનો ઉપયોગ કરી ભારતમાં પ્રવેશ કર્યો હોવાણી શંકા

જમ્મૂ-કાશ્મીરના સાંબા સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદની પાસે એક સુરંગ મળી આવી છે. તેને એક મોટું અભિયાન ચલાવી શોધવામાં આવી છે. શંકા છે કે પાકિસ્તાનથી જૈશ-એ-મોહમ્મદના 4 આતંકવાદીઓએ આ સુરંગનો ઉપયોગ કરી ભારતમાં પ્રવેશ કર્યો હોય. આ ચારે આતંકીવાદી એક ટ્રકમાં છુપાઈ કાશ્મીર આવવાની ફિરાકમાં હતા. જેમને જમ્મૂ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર એક ટોલ પ્લાઝા પર રોકવામાં આવ્યા અને સુરક્ષાદળોની સાથે અથડામણમાં ચારેય આતંકીઓને ઠાર કરાયા. આતંકીઓ પાસેથી હથિયાર જપ્ત કરાયા, જેમાં 11 એકે રાઈફલ, 3 પિસ્તોલ, 29 ગ્રેનેડ અને 6 UBGL ગ્રેનેડ હતા.

(12:00 am IST)