Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

શિયા વકફ બોર્ડના માજી ચેરમેન પર યોગી હકુમતનો હથોડો

લખનૌ, તા. ૨૩ :. શિયા વકફ બોર્ડના ભૂતપૂર્વ ચેરમેન વસીમ રીઝવી પર કોમની દસ હજાર કરોડની જમીન વેચવાના આરોપમાં યોગી હકુમતે સીબીઆઈ જાંચની મંજુરી આપી દીધી છે. આ અંગે મૌલાના રાજાણી હસનઅલી રૂહાનીએ સરકારના ફૈસલાની તારીફ કરતા કહ્યુ કે વસીમ રીઝવી પર બીજા પણ ઘણા કેસ છે. મૌલાના રાજાણીએ કહ્યુ કે આજથી ૬ વર્ષ અગાઉ જ્યારે વસીમ રીઝવીના વિરોધમાં પ્રદર્શન કર્યુ હતુ ત્યારે યુપીની સપા સરકારે અમારી ઉપર લાઠીચાર્જ કર્યો હતો. જેમાં મારી સાથે વિરોધ પ્રદર્શનમાં આવેલ કરાર હુસેનનુ મૃત્યુ થઈ ગયુ હતું અને ઘણા લોકો ઝખ્મી થયા હતા.

(11:41 am IST)