Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

યુ.એસ.સ્થિત સુવિખ્યાત અને સેવાભાવી ડો.તુષાર પટેલના પૂ.માતુશ્રી ઇન્દીરાબેન ભુપેન્દ્રભાઈ પટેલનું દુઃખદ અવસાન : 84 વર્ષની વયે ટૂંકી બીમારી બાદ 20 સપ્ટે.2020 નારોજ ન્યુજર્સી મુકામે અંતિમ શ્વાસ લીધા

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી :  યુ.એસ.સ્થિત સુવિખ્યાત અને સેવાભાવી ડો.તુષાર પટેલના પૂ.માતુશ્રી ઇન્દીરાબેન ભુપેન્દ્રભાઈ પટેલનું 20 સપ્ટે.2020 ના રોજ ન્યુજર્સી મુકામે  દુઃખદ અવસાન થયું છે.કેન્સરના ઓપરેશન પછી ટૂંકી બીમારી બાદ 84 વર્ષની વયે તેમણે ન્યુજર્સી મુકામે અંતિમ શ્વાસ લીધા હતા.

14 માર્ચ 1936 ના રોજ ગુજરાતના વડોદરા  મુકામે તેમનો જન્મ થયો હતો.તેઓ સુપ્રતિષ્ઠિત શિક્ષણશાસ્ત્રી તથા 4 દાયકા સુધી શિક્ષક મંડળના આગેવાન રહી ચૂકેલા સ્વ .ભુપેન્દ્રભાઈ પટેલના પત્ની હતા.2016 ની સાલથી તેઓ ન્યુજર્સી  મુકામે તેમના બંને પુત્રો ડો.તુષાર પટેલ તથા શ્રી મયંક પટેલ સાથે રહેતા હતા.તેઓ સાદુ અને સરળ જીવન જીવતા હતા.દરરોજ 6 થી 8 કલાક સુધી નિયમિત વાંચન કરતા હતા .જે શોખ તેમણે ધાર્મિક પુસ્તકોના વાંચન દ્વારા મૃત્યુના છેલ્લા એક માસ સુધી જાળવી રાખ્યો હતો.

તેઓ ભારત ખાતેના કુટુંબીજનોની સેવા માટે તેમજ જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા માટે તેમજ પરહિત માટે  સદાય કાર્યરત રહ્યા હતા.સદ્દગતની અંતિમક્રિયા કોવિદ -19 ના સંજોગોને કારણે  પરિવારજનો તથા અંગત સ્નેહીજનોની હાજરીમાં મર્યાદિત સંખ્યા સાથે 22 સપ્ટે.2020 ના રોજ ફ્રેન્કલીન મેમોરિયલ ,બ્રન્સવિક ,ન્યુજર્સી મુકામે કરવામાં આવી હતી.

તેમના પુત્રો તથા પરિવાર ડો.તુષાર પટેલ ,સુશ્રી સંગીતા પટેલ ,શ્રી સાજન પટેલ તથા શ્રી આકાશ પટેલ,તેમજ શ્રી મયંક પટેલ ,સુશ્રી ડિમ્પલ પટેલ ,શ્રી નિયતિ પટેલ ,તથા શ્રી હેત પટેલ સહિતના સદગતના પરિવારજનોને આશ્વાસન પાઠવવા માટે ડો.તુષાર પટેલનો કોન્ટેક નં.848-391-0499 દ્વારા અથવા ઈમેલ tpatel434@yahoo.com  દ્વારા સંપર્ક સાધી શકાશે.

પરમકૃપાળુ પરમાત્મા સદગતના આત્માને શાંતિ આપે તથા કુટુંબીજનોને આઘાત જીરવવાની શક્તિ આપે તેવી મિત્રો તથા સબંધીઓની શ્રદ્ધાંજલિ ." જય મહારાજ ".

(5:10 pm IST)