Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

કેરળમાં કોરોનાના ઘટતા કેસથી રાહત : દેશમાં મૃત્યુઆંક વધ્યો : દેશમાં નવા 16.017 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 15.940 દર્દીઓ રિકવર થયા : વધુ 559 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.54.301 થયો :એક્ટીવ કેસ 1.66.935 થયા : કુલ કેસની સંખ્યા 3.41.74.826 થઇ

સૌથી વધુ કેરળમાં 8909 કેસ, મહારાષ્ટ્ર્રમાં 1701 કેસ,તામિલનાડુમાં 1140 કેસ, પશ્ચિમ બંગાળમાં 974 કેસ, મિઝોરમમાં 745 કેસ, ઓરિસ્સામાં 441 કેસ, આંધ્રપ્રદેશમાં 396 કેસ, કર્ણાટકમાં 371 કેસ, આસામમાં 324 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી. દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો હતો દેશમાં કોરોનાનાં નવા 16.017 કેસ નોંધાયા છે. જ્યારે 15.940 દર્દીઓ રિકવર થયા છે

  દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 16.017 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 559 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.54.301 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 16.017 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.41.74.826 થઇ છે, એક્ટિવ સંખ્યા 1.66.935 થઇ છે છેલ્લા 24 કલાકમાં 15.940 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.35.40.432 લોકોએ કોરોનાને મહાત આપી છે

  દેશમાં સૌથી વધુ કેરળમાં 8909 કેસ, મહારાષ્ટ્ર્રમાં 1701 કેસ,તામિલનાડુમાં 1140 કેસ, પશ્ચિમ બંગાળમાં 974 કેસ, મિઝોરમમાં 745 કેસ, ઓરિસ્સામાં 441 કેસ, આંધ્રપ્રદેશમાં 396 કેસ,કર્ણાટકમાં 371 કેસ, આસામમાં 324 કેસ નોંધાયા છે

(1:00 am IST)