Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

કાલથી પૂ.મોરારીબાપુના વ્યાસાસને ઉત્તર પ્રદેશના દેવપ્રયાગ માં ૮૬૧ મી ઓનલાઇન રામ કથા

રાજકોટ તા.૨૫ ,કાલથી પૂ.મોરારીબાપુના વ્યાસાસને ઉત્તર પ્રદેશના દેવપ્રયાગ માં ૮૬૧ મી ઓનલાઇન રામ કથા યોજાશે.

ઉત્તર પ્રદેશના દેવપ્રયાગ ના પતંજલિ સેવા આશ્રમ માં કાલે સાંજે ચાર વાગ્યે શ્રી રામકથાનો પ્રારંભ થશે અને સાંજના સાત વાગ્યા સુધી શ્રી રામકથાનું પૂજ્ય મોરારીબાપુ રસપાન કરાવશે.

જ્યારે તારીખ ૨૭થી ૪ જુલાઇ સુધી દરરોજ સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધી શ્રી રામકથાનું આયોજન કરાયું છે કોરોના મહામારી ના કારણે આ કથાનું ઓનલાઇન આયોજન કરાયું છે ભાવિકો ઘરે બેઠા આસ્થા ચેનલ અને પૂજ્ય મોરારી બાપુની youtube ચેનલ ઉપર લાઇવ કથા નું રસપાન કરી શકશે.

(4:53 pm IST)