Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

જ્યાંથી ખતરો હશે, ત્યાં પ્રહાર કરીશું : એનએસએ અજિત દોભાલ

દુશ્મનોને NSA અજિત ડોવલનો કડક સંદેશ : ભારત પોતાની સમૃદ્ધ સંસ્કૃતિ અને સભ્યતાના કારણે કોઇ ધર્મ અથવા ભાષાના દાયરામાં બંધાયેલો નથી : દોભાલ

નવી દિલ્હી, તા. ૨૫ : નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અજિત ડોભાલે ઋષિકેશથી ભારત સાથે દુશ્મની રાખનારને કડક સંદેશ આપ્યો છે. ડોવલે કહ્યું કે 'ઇતિહાસ સાક્ષી છે કે ભારતે ક્યારેય કોઇની ઉપર હુમલો કર્યો નથી,' પરંતુ એ નક્કી છે કે જ્યાંથી ખતરો હશે, ત્યાં પ્રહાર કરવામાં આવશે.  એનએસએએ કહ્યું કે ભારત એક 'સભ્ય' દેશ છે, જેનું વજૂદ અનાદિકાળથી છે. તેમણે પ્રકાશ પાડ્યો કે ભારત, ભલે ૧૯૪૭માં અસિત્વમાં આવ્યું હોય પરંતુ પ્રાચીન ભારતીય જ્ઞાન-વિજ્ઞાનની દુનિયા કાયલ રહી છે.  દોભાલે એ પણ કહ્યું કે આપણો દેશ એટલો મહાન છે કે ભારત પોતાની સમૃદ્ધ સંસ્કૃતિ અને સભ્યતાના કારણે કોઇ ધર્મ અથવા ભાષાના દાયરામાં બંધાયેલો નથી. પરંતુ આ ધરતીથી વસુધૈવ કુટુંબકમ અને દરેક મનુષ્યમાં ઇશ્વરનો અંશ છે ના ભાવનો પ્રચાર પ્રસાર થયો. 

               સુરક્ષા સલાહકારના અનુસાર ભારતની એક દેશ તરીકે ઑળખ મજબૂત કરવા અને તેને સંસ્કારી બનાવવામાં અહીંના સંત અને મહાત્માઓનું મોટું યોગદાન રહ્યું. આ સંતોએ પોત-પોતાના કાળમાં ભારતનું રાષ્ટ્ર નિર્માણ કરવામાં પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ડોવલે ઉદાહરણ આપ્યું કે યદૂદી સભ્યત બે હજાર વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવી પરંતુ દુનિયાના પહેલાં યદૂદી દેશનું નિર્માણ ૧૯૪૭માં થયું. તો બીજી તરફ ઇજિપ્ટ જેવી સમૃદ્ધ સભ્યતાનું અસ્તિત્વ મટી ગયું.  તેમણે અહીં હાજર તમામ લોકોને દુનિયામાં ભારતની આધ્યાત્મિકતાના સંદેશનો પ્રસાર કરવા માટે પણ કહ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે એનએસએ પદ સંભાળ્યા પછી ડોભાલની પોતાના ગામની આ ત્રીજી મુલાકાત છે.

(9:41 pm IST)