Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

વિજયકુમાર સિન્હા બન્યા બિહાર વિધાનસભાના નવા સ્પીકરઃ RJDનો વિરોધ એળે ગયો

મહાગઠબંધનના વિધાયકો તરફથી ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઊભા કરવામાં આવ્યા

પટણા, તા.૨૫: બિહાર વિધાનસભા સ્પીકરની ચૂંટણીમાં NDAના જીત થઈ છે. સદનમાં હોબાળા વચ્ચે આજે સ્પીકર પદની ચૂંટણી થઈ અને એનડીએના ઉમેદવાર વિજય સિન્હા નવા વિધાનસભા અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા. આ દરમિયાન મહાગઠબંધનના વિધાયકો તરફથી ચૂંટણી પ્રક્રિયા પર સવાલ ઊભા કરવામાં આવ્યા અને ગુપ્ત મતદાનની અપીલ કરાઈ. જો કે તેમની અપીલ ફગાવી દેવામાં આવી.

ચૂંટણીમાં એનડીએના ઉમેદવારને ૧૨૬ અને મહાગઠબંધનને ૧૧૪ મત મળ્યા. પરિણામો બાદ મુખ્યમંત્રી નીતિશકુમાર, વિપક્ષના નેતા તેજસ્વી યાદવે સ્પીકરને તેમની ખુરશી સુધી પહોંચાડ્યા અને શુભેચ્છાઓ પાઠવી. બિહારમાં આવું પાંચ દાયકા બાદ થયું છે કે જયારે સ્પીકરના પદ માટે ચૂંટણી યોજાઈ હોય. વિજયકુમાર સિન્હાએ અવધ બિહારી ચૌધરીને હરાવ્યા હતા.

બિહારમાં ૫૧ વર્ષ બાદ સ્પીકર પદ માટે આજે વિધાનસભામાં ચૂંટણી થઈ. એનડીએ અને મહાગઠબંધન વચ્ચે થઈ રહેલા આ મુકાબલા વચ્ચે બિહાર વિધાનસભામાં ખુબ હોબાળો પણ થયો. તેજસ્વી યાદવે પહેલા સત્ત્।ા પક્ષ પર આક્ષેપ લગાવ્યા અને કહ્યું કે એનડીએએ  જનાદેશની ચોરી કરી છે. તેજસ્વી યાદવે કહ્યું કે ૪ વર્ષમાં રાજયે ચાર સરકારો જોઈ પરંતુ દર વખતે જનાદેશ ચોરી કરવામાં આવ્યો. ગત સરકાર ચોર દરવાજે આવી અને આ સરકાર પણ ચોર  દરવાજેથી આવી.

આ બાજુ હા અને નામાં નિર્ણય કરાવવાનો વિપક્ષે વિરોધ કર્યો તો સભ્યોની ગણતરીથી ચૂંટણી થઈ. વિપક્ષે ગુપ્ત મતદાનની માગણી કરી હતી. વિપક્ષની માગણીને પ્રોટેમ સ્પીકર જીતનરામ માંઝીએ ફગાવી હતી. ઘંટી બજાવવા વચ્ચે તેજસ્વી યાદવે આપત્ત્િ। જતાવી અને મુખ્યમંત્રી નીતિશકુમાર તથા મંત્રી અશોક ચૌધરીના સદન પર હોવા બદલ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે જે વિધાનસભાના સદસ્ય નથી તેમણે મતદાન વખતે હાજર રહેવું જોઈએ નહી. આરજેડીનું કહેવું હતું કે નીતિશ સદનનો હિસ્સો નથી.

(3:31 pm IST)