Gujarati News

Gujarati News

News of Tuesday, 26th January 2021

અંધશ્રદ્ધાની માન્યતામાં અટવાઈને ભણેલ ગણેલ માતા પદ્મજાએ પોતાની બે યુવાન દીકરીઓને બલી ચડાવી દીધો

આંધ્ર પ્રદેશમાં ચિતુર જિલ્લાના મદનાપલ્લે ખાતેની સરકારી કોલેજમાં પ્રોફેસર કમ વાઇસ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતાં અને મેથેમેટિક્સમાં ગોલ્ડ મેડાલિસ્ટ અને ડોક્ટરેટ મેળવેલ શિક્ષિકા માતાએ અંધશ્રદ્ધાથી પ્રેરાયને પોતાની ૨ યુવાન દીકરીઓ સાઈ દિવ્યા(૨૭) અને અલેખ્યા(૨૨) ની લાકડાથી હત્યા કર્યાનો કમકમાટીભર્યો બનાવ બહાર આવ્યો છે. તે માનસિક અસ્થિર હોવાનું અને દીકરીઓને ફરી જીવતી કરી શકશે તેવી અંધશ્રદ્ધના દોરમાં જીવતી હતી. પિતા વી. પુરુષોત્તમ નાયડુ ઘરમાં હતો પણ તેણે પત્નીને હત્યા કરતા રોકી ન હતી. તેઓ માનતા હતા કે પુત્રીઓને ખરાબ આત્માએ જકડી લીધી છે. કેટલીક વિધિ પણ કરેલ.

(10:19 am IST)