Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

મહારાષ્ટ્રના વર્ધામાં બે દિવસ ક્રફ્યુ : આજે રાત્રે આઠથી સોમવાર સવારે આઠ વાગ્યા સુધી ફરી કર્ફ્યુ લગાવાયો

તબીબી સ્ટોર્સ અને અન્ય તાકીદની સેવાઓ સિવાય તમામ સેવાઓ બંધ રહેશે

મહારાષ્ટ્રના વર્ધામાં આજે રાત્રે આઠ વાગ્યાથી સોમવાર સવારે આઠ વાગ્યા સુધી ફરી કર્ફ્યુ લગાવાયો છે. આ સમય દરમિયાન, તબીબી સ્ટોર્સ અને અન્ય તાકીદની સેવાઓ સિવાય તમામ સેવાઓ બંધ રહેશે. આ નવા આદેશ હેઠળ શહેરના પેટ્રોલ પંપ પણ બંધ રાખવા જણાવ્યું છે. વધર્િ જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં કોરોના વાયરસસંક્રમણના 1126 દર્દીઓમાં વધારો થયો છે. ગયા અઠવાડિયે પણ વર્ધામાં શનિવારની રાત્રે આઠ વાગ્યાથી સોમવાર સવારે આઠ વાગ્યા સુધી કર્ફ્યુ લગાવાયો હતો.

ઝડપથી વાપસી કરતી કોરોના મહામારીને રોકવા માટે સરકારે કડક માર્ગદર્શિકા જારી કરી છે. વહીવટીતંત્રએ પણ સખ્તી વધારી છે. વધર્િ જિલ્લા કલેક્ટર પ્રેરણા એચ દેશભરે ગયા અઠવાડિયે કોરોના વાયરસનાવધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને તમામ શાળાઓ અને કોલેજોને આગામી નોટિસ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો હતો

(11:35 am IST)