Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

મુખ્યમંત્રી વિજય રૂપાણીનો મોટો નિર્ણય : આ વર્ષે રાજ્યકક્ષાનો નવરાત્રી મહોત્સવ નહીં ઉજવાય : રાજ્યકક્ષાના પરંપરાગત નવરાત્રી મહોત્સવનું આયોજન નહીં થાય

17 થી 25 ઓક્ટોબર દરમિયાન થવાનું હતું આયોજન : સરકાર જે આયોજન કરતું હતું તે આ વર્ષે નહીં થાય

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ પ્રવર્તમાન વિશ્વ વ્યાપી કોરોના મહામારી ને કારણે આ વર્ષે  આગામી નવરાત્રી એટલે કે 17 થી 25 ઑક્ટોબર દરમ્યાન રાજ્ય સરકાર દ્વારા ઉજ્વાનારો રાજ્ય કક્ષા નો નવરાત્રી મહોત્સવ નહિ ઉજવવાનો નિર્ણય કર્યો છે.

શ્રી રૂપાણીએ વિશાળ જનહિતમાં આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ના આ નિર્ણય મુજબ રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે  ઉજવવામાં આવતો રાજ્ય કક્ષા નો પરંપરાગત નવરાત્રી મહોત્સવ આ વર્ષે ઉજવવામાં આવશે નહિ.

(12:00 am IST)