Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

યશ રાજ ફિલ્મ્સની 50 મી વર્ષગાંઠ નિમિતે આદિત્ય ચોપડાએ લોગોનું અનાવરણ કર્યું

યશ રાજ ફિલ્મ્સની 50 વર્ષીય ફિલ્મ યાત્રાને કેપ્ચર કરી

મુંબઈ : યશ રાજ ફિલ્મ્સની 50 મી વર્ષગાંઠ પરફિલ્મ નિર્માતા આદિત્ય ચોપડાએ નવા પ્રોડક્શન હાઉસનાં લોગોનું અનાવરણ કર્યું હતું. આ લોગોએ અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન જેવા સુપરસ્ટાર અને ચાંદની, સિલસિલા, દિલ તો પાગલ હૈ, ધૂમ અને યુદ્ધ જેવી ફિલ્મો સાથે યશ રાજ ફિલ્મ્સની 50 વર્ષીય ફિલ્મ યાત્રાને કેપ્ચર કરી છે.

 

27 સપ્ટેમ્બરના રોજ આદિત્ય ચોપડાએ તેમના સ્વર્ગસ્થ પિતા અને ફિલ્મ નિર્માતા યશ ચોપરાની 88 મી જન્મજયંતિ પર લોગોનું અનાવરણ કર્યું હતું. આ વિશેષ પ્રસંગે તેમણે એક નોંધ પણ લખી છે.

 અક્ષય વિધાની, યશરાજ ફિલ્મ્સના બિઝનેસ અફેર્સ અને કંપનીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટે જણાવ્યું હતું કે, ખાસ લોગો વાયઆરએફની ઇતિહાસની રોમાંચક યાદો, સ્મૃતિચિત્રો અને તેની સિનેમેટિક પ્રવાસ તેમજ તેની બ્લોકબસ્ટર ફિલ્મોનો એક ભાગ છે. આ માધ્યમ ભારતીય સિનેમા ઉદ્યોગમાં વાયઆરએફ અને પ્રેક્ષકોના યોગદાનને પણ પ્રતિબિંબિત કરે છે, જેણે દેશ અને દેશવાસીઓ માટે પોપ સંસ્કૃતિ બનાવી છે.

(10:10 pm IST)