Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

પશ્ચિમ બંગાળમાં દુર્ગા મૂર્તિ વિસર્જન દરમિયાન બોટે પલટી મારતા 5 લોકોના ડૂબી જવાથી મોત

મુર્શિદાબાદમાં દુર્ઘટના :તમામ મૃતકો બેલડાંગાના રહેવાસી :પોલીસ અને બચાવદળની ટીમ ઘટના સ્થળે પહોંચી: રેસ્કયુ ઓપરેશન ચાલુ

પશ્ચિમ બંગાળ: મુર્શિદાબાદમાં દુર્ગા મૂર્તિના વિસર્જન દરમિયાન એક ગંભીર અક્સમાત સર્જાયો હતો. આ ઘટનામાં બોટમાં સવાર લોકો મૂર્તિનું વિસર્જન કરી રહ્યા હતા. તે દરમિયાન નાવે પલટી મારતા અક્સ્માત સર્જાયો હતો. જેમાં 5 લોકોના મોત થયા છે. તો હજુ કેટલાક લોકોની શોધખોળ શરૂ છે.

પોલીસના જણાવ્યા મુજબ મૃતકોમાં પિકન પાલ, અરિદમ બેનર્જી, સોમનાથ બેનર્જી અને એક અન્ય વ્યકિતનું મોત થયું છે. આ બધા જ લોકો બેલડાંગાના રહેવાસી છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવદળ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

(12:09 pm IST)