Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

મહેશ-નરેશ રામ લક્ષ્મણની જેમ સાથે રહ્યા : હિતેન કુમાર

આપણે બે મોટા નામો ખોયા છે : હિતેનકુમાર : હું તેમની ફિલ્મો ઘણો જોતો, નરેશ કનોડિયા પોતાની કલાથી ગુજરાતી સિનેમાને ઊંચાઇ પર લઇ ગયા હતા : કિર્તીદાન

અમદાવાદ,તા.૨૭ : ૨૫ ઓક્ટોબરનાં રોજ નરેશ કનોડિયાના ભાઈ મહેશ કનોડિયાનું નિધન થયું હતું, તેના બે દિવસ બાદ આજે નરેશ કનોડિયાનું નિધન થતા ગુજરાતી પ્રશંસકોને મોટો આંચકો લાગ્યો છે. લાખો પ્રશંસકોના દિલ પર રાજ કરનાર ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર અભિનેતા નરેશ કનોડિયાનું કોરાનાથી નિધન થયું છે. યુ. એન. મહેતા હૉસ્પિટલમાં તેમને કોરોનાની સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા છે. માત્ર ૪૮ કલાકમાં 'મહેશ-નરેશલ્લ બંધુની બેલડી ખંડિત થતા ગુજરાતી સિનેમા સાથે રાજ્યમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. નોંધનીય છે કે, રવિવારે, ૨૫ ઓક્ટોબરનાં રોજ નરેશ કનોડિયાના ભાઈ મહેશ કનોડિયાનું નિધન થયું હતું, તેના બે દિવસ બાદ આજે નરેશ કનોડિયાનું નિધન થતા ગુજરાતી પ્રશંસકોને મોટો આંચકો લાગ્યો છે. ૧૯૪૩માં મહેસાણાના કનોડા ગામે નરેશ કનોડિયાનો જન્મ થયો હતો. અંગે ગુજરાતી ફિલ્મનાં અભિનેતા હિતેન કુમારે જણાવ્યું કે, ક્ષણ ઘણી આઘાતની છે સાથે આશ્ચર્યની પણ છે કે, આખી જિંદગી જેણે રામ લક્ષ્મણની જોડી તરીકે કામ કર્યું, સંઘર્ષના દિવસોથી બંન્ને ભાઇઓ સાથેને સાથે રહ્યાં.

મહેશભાઇના નિધન બાદ નરેશભાઇનાં નિધનનાં સમાચાર મળે છે તે ખરેખર આશ્ચર્ય પમાડે તેવી વાત છે, કમાલનો પ્રેમ છે. ગુજરાતનાં સૌથી મોટા એન્ટરટેઇનર આપણે આમને કહી શકીએ. આપણે બે મોટા નામો ખોયા છે, વર્ષ ૨૦૨૦નાં મળેલા સૌથી દુખદ સમાચાર છે . હું પરિવારને ઘણી અંગત રીતે જાણુ છું, માત્ર ૪૮ કલાકમાં ઘરના બે મોભીને ખોયા છે, ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને પરિવારને હિંમત આપે એવી પ્રાર્થના છે. કિર્તીદાન ગઢવીએ વ્યક્ત કરી દુખદ લાગણીગુજરાતી ગાયક કિર્તીદાન ગઢવીએ અંગે દુખની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે, હું તેમની ફિલ્મો ઘણો જોતો, નરેશ કનોડિયા પોતાની કલાથી ગુજરાતી સિનેમાને ઊંચાઇ પર લઇ ગયા હતા. તેમના જવાથી ગુજરાતી ચિત્રપટ અને સંગીતને પૂરી શકાય તેવી ખોટ પડી છે. ગુજરાતી ફિલ્મ જગતમાં બંન્ને ભાઇઓએ જે યોગદાન આપ્યું છે તે અન્ય કોઇ નહીં આપી શકે.

(7:45 pm IST)