Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

ગાઝીપુર બોર્ડર પર વીજ પુરવઠો બંધ કરાયો :સમગ્ર વિસ્તારમાં પોલીસ ફોર્સ વધારી દીધી

જે લોકોએ કાયદો વ્યવસ્થા બગાડવાની કોશિશ કરી તેમના પર કાર્યવાહી કરવામાં આવે: ખેડૂત નેતા

નવી દિલ્હી : પોલીસે ગાઝીપુર બોર્ડર પર ખેડૂતોના પ્રદર્શન સ્થળ પર વીજ પુરવઠો બંધ કરાવ્યો.હતો આ સાથે જ સમગ્ર વિસ્તારમાં પોલીસ ફોર્સ વધારી દીધી છે. ત્યારબાદ ભારતીય કિસાન યુનિયનના નેતા ગૌરવ ટિકૈતે કહ્યું કે લાકડી-બંદૂકના દમ પર આંદોલનને દબાવી શકાશે નહી. નિવેદન છે કે જે લોકોએ કાયદો વ્યવસ્થા બગાડવાની કોશિશ કરી તેમના પર કાર્યવાહી કરવામાં આવે અને જે લોકોએ લાલ કિલ્લા પર ઝંડો ફરકાવ્યો તેમને પકડવામાં આવે. આંદોલન ખતમ નહી કરી શકો. અહીંની લાઈટ તરત શરૂ કરવામાં આવે.

(12:41 pm IST)