Gujarati News

Gujarati News

News of Thursday, 28th January 2021

૨૦૨૫ પહેલાં વિકાસ દર હાંસલ કરવો મુશ્કેલ : આઈએમએફના ચીફ ઈકોનોમિસ્ટ ગીતા ગોપીનાથ

આઈએમએફના ચીફ ઈકોનોમિસ્ટ ગીતા ગોપીનાથના સ્પષ્ટ સંકેત : બજેટમાં ભારતના નાણાંમંત્રીએ હાલમાં ચાલી રહેલી કટોકટીને પહોંચી વળવા નક્કર પગલાંઓ ભરવા પડશે

નવી દિલ્હી, તા. ૨૮ : આઈએમએફના ચીફ ઈકોનોમિસ્ટ ગીતા ગોપીનાથે જણાવ્યું છે કે, ભારત માટે ૨૦૨૫ પહેલા કોરોના અગાઉનો વિકાસ દર હાંસલ કરવો મુશ્કેલ રહેશે. માત્ર ભારત નહીં પરંતુ દુનિયાભરના અનેક દેશોની સ્થિતિ છે. ગોપીનાથે જણાવ્યું હતું કે આવતા મહિને રજૂ થનારા બજેટમાં ભારતના નાણાંમંત્રીએ હાલ ચાલી રહેલી કટોકટીને પહોંચી વળવા ઉપરાંત ભવિષ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઝડપથી રિકવરી પ્રાપ્ત કરી શકાય તેવા પગલાં ભરવા પડશે.

આવનારા સમયમાં બેંકોની એનપીએમાં પણ વધારો જોવા મળશે તેવી શક્યતા વ્યક્ત કરતા ગોપીનાથે જણાવ્યું હતું કે સરકારે હાલની સ્થિતિમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ વધારવાની જરુર છે, અને તેની સાથે ડિસઈન્વેસ્ટમેન્ટ્સ માટે પણ વિશ્વાસપાત્ર રસ્તો શોધવો પડશે.

હાલમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને કારણે કૃષિ સુધારાના કાયદાનો અમલ અટવાઈ જવા પર પોતાનો મત વ્યક્ત કરતા ગોપીનાથે કહ્યું હતું કે સુધારા કરવા હંમેશા મુશ્કેલ હોય છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આજે નહીં તો કાલે ખેડૂતો અને સરકાર વચ્ચે ચોક્કસ કોઈ સમાધાન થશે. તેમણે કહ્યું હતું કે ખેડૂતો માટે નવા વિકલ્પો ઉભા કરીને તેમની આવકમાં વધારો કરી શકાય છે. જોકે, દરેક કાયદાનો અમલ કઈ રીતે થાય છે તે કાળજીપૂર્વક જોવાનું રહે છે. તેના કારણે જો કોઈને નુક્સાન થતું હોય તો તેના પર પણ બારીકાઈથી નજર રાખવી પડે છે, તેમાંય ખાસ કરીને જો તેમાં ખેડૂતો સંકળાયેલા હોય.

કોરોનાની રસીકરણની ધીમી ગતિ અને તેને લઈને ઉભા થઈ રહેલા સવાલો પર ચિંતા વ્યક્ત કરતા ગોપીનાથે જણાવ્યું હતું કે, લગભગ દરેક દેશોમાં સમસ્યા જોવા મળી રહી છે. વળી, વાયરસના એક પછી એક આવી રહેલા નવા વેરિયન્ટ્સ પણ ચિંતાનો વિષય છે. ઉપરાંત, ભારતના કિસ્સામાં ફાઈનાન્શ્યિલ સિસ્ટમમાં રહેલી નબળાઈ પણ ચિંતાનો વિષય છે. ભારત સહિત દુનિયાભરના દેશોએ કોરોનાને કારણે સર્જાયેલીસ્થિતિને પહોંચી વળવાઘણા પગલાં લીધા છે, જેનાકારણે ફાઈનાન્શિયલ સિસ્ટમમાં ક્રાઈસિસ ઉભી થઈ છે. જો આરબીઆઈના અનુમાનઅનુસાર એનપીએમાં વધારો થયો તો બેંક તેમજ એનબીએફસીએસના પર્ફોમન્સપર તેની સીધી અસરજોવા મળશે, જેનાથી એકંદરે દરેક ક્ષેત્ર પર નકારાત્મક અસર સર્જાશે, તેમ પણ ગોપીનાથે જણાવ્યું હતું.

(9:29 pm IST)