Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

રાજકોટમાં કોરોનાના મૃત્યુઆંકમાં મોટો ઘટાડોઃ આજે ૮ના મોત

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી શહેર અને જીલ્લામાં બે મૃત્યુની નોંધ : શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૧૩૨૨ બેડ ખાલી

રાજકોટ, તા. ૨૩:  શહેર અને જીલ્લમાં છેલ્લા બે દિવસથી કોરોનાના મૃત્યુ આંકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાની સારવાર દરમિયાન ગઇકાલે ૧૭ અને આજે૮ દર્દીઓનાં મૃત્યુ થયા હતા.

સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી શહેર અને જીલ્લામાં બે  મૃત્યુની નોંધ થઇ છે.

આ અંગે સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૨૮નાં સવારે ૮ વાગ્યાથી આજ તા.૨૯ને સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લાના ૮ દર્દીઓનાં મૃત્યુ થયા છે.

કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં  ૧૩૨૨ બેડ ખાલી છે.

શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમંરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે. છેલ્લા ઘટા સમયથી મૃત્યુઆંકનો ઘટાડો  થતા લોકોએ રાશતનાં શ્વાસ લીધા છે.

(10:40 am IST)