Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

સુપ્રિમકોર્ટે રાજયોને સેકસ વર્કર્સને ઓળખના પુરાવા વગર ડ્રાય રાશન આપવાનો કર્યો નિર્દેશ

કોર્ટે કહ્યું કે રાજયના યૌનકર્મીઓ સૂકુ અનાજ આપવામાં આવે અને અને જિલ્લા તથા રાજયના વિવિધ સેવા સંગઠનોની સહાયતાથી તેમની ઓળખ કરવામાં આવે

નવી દિલ્હી,તા. ૩૦: સુપ્રીમ કોર્ટે મંગળવારે તમામ રાજયોને નિર્દેશ કર્યો છે કે તે રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ સંગઠન અને વિધિક સેવા પ્રાધિકરણો દ્વારા ચિન્હિત યૌનકર્મીઓને ઓળખના પુરાવા રજૂ કર્યા વગર પણ સૂકું રાશન આપે. ટોચની અદાલતે આ મામલે તમામ રાજયોને ચાર સપ્તાહની અંદર આદેશનું પાલન થયું છે કેમ તેનો રિપોર્ટ પણ દાખલ કરવાનો નિર્દેશ કર્યો છે. આ રિપોર્ટમાં તે વિવરણ હોવું જરૂરી છે કે કેટલા યૌનકર્મીઓ આ દરમિયાન રાશન આપવામાં આવ્યું છે. જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને જસ્ટિસ અજય રસ્તોગીની બેંચે કહ્યું કે કોવિડ ૧૯ મહામારીના સમય દરમિયાન યૌનકર્મીઓની નાણાંકીય સહાય કરવા મામલે પણ આવનારા સમયમાં વિચાર કરવામાં આવશે.

બેંચ કહ્યું કે રાજયના યૌનકર્મીઓ  સૂકો અનાજ આપવામાં આવે અને અને જિલ્લા તથા રાજયના વિવિધ સેવા સંગઠનોની સહાયતાથી તેમની ઓળખ કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે બિન સરકારી સંગઠન દરબાર મહિલા સમન્વય સમિતિની અરજી પણ સુનવણી કરતા આ આદેશ આપ્યો છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ ૧૯ મહામારીના કારણે યૌનકર્મીઓની સ્થિતિ ખૂબ જ ખરાબ થઇ ગઇ છે. આ અરજીમાં દેશનાં હાજર નવ લાખથી પણ વધુ યૌનકર્મીઓનું રાશન કાર્ડ અને બીજી સુવિધાઓ ઉપબલ્ધ કરાવવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો છે.

બેંચ તમામ રાજયોને આ મામલે વિસ્તૃત રિપોર્ટ દાખલ કરાવીને કહ્યું છે કે યૌનકર્મીઓ રાશન કાર્ડ સમેત અન્ય સુવિધાઓ આપવાની વાત પણ કરવામાં આવી છે. બેંચ કહ્યું કે અમને ખબર છે કે રાજય મદદ માટે આગળ આવી રહ્યું છે પણ સમસ્યા તે છે કે યૌનકર્મીઓ પાસે કોઇ ઓળખના પુરાવા નથી. માટે આ તમામને રાશન આપવું જોઇએ. રાજયોએ અમને જણાવવું પડશે કે તેમણે આ પર કેવી રીતે અમલ કર્યો છે. કેન્દ્રની તરફથી હાજર વકીલ પણ કહ્યું કે જો રાજય યૌનકર્મીઓને સૂકું અનાજ આપે છે તો અમને તે વાતમાં કોઇ આપત્ત્િ। નથી.

બિન સરકારી સંગઠનનોનું કહેવું છે કે આંધ્ર પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ અને તેલંગાનામાં ૧.૨ લાખ યૌનકર્મીઓની વચ્ચે કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે મહામારીના કારણે ૯૬ ટકા લોકો પોતાની કમાણીનું સાધન ગુમાવી ચૂકયા છે. અરજીમાં તે પણ કહેવામાં આવ્યું છે કે યૌનકર્મીઓને સંવિધાન અનુચ્છેદ ૨૧ હેઠળ ગરિમા સાથે જીવવાનો અધિકાર છે. અને તેમની સમસ્યા પર પણ ધ્યાન આપવાની જરૂર છે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે કોવિડ ૧૯ મહામારીના કારણે યૌનકર્મીઓ સામાજીક લાંછનના કારણે અલગ અલગ થઇ ગયા છે. આવી સ્થિતિમાં તેમને મદદની તાતી જરૂર છે.

(11:10 am IST)