મુખ્ય સમાચાર
News of Thursday, 10th September 2020

તેલુગૂ ટીવી અભિનેત્રી શ્રાવણી કોંડાપલ્લીએ હૈદ્રાબાદમાં કરી આત્મહત્યા

અભિનેત્રીના પરિવારે બોયફ્રેન્ડ ત્રાસ આપતો હોવાનો આક્ષેપ કર્યો છેઃ કેસની વધુ તપાસ ચાલુ

ચેન્નાઇ,તા.૧૦: ૨૬ વર્ષીય તેલુગૂ ટીવી અભિનેત્રી શ્રાવણી કોંડાપલ્લીએ હૈદ્રાબાદ સ્થિતિ ઘરે આત્મહત્યા કરી છે. પોલીસે બુધવારે આ દુર્ઘટનાની માહિતિ આપી છે. જયારે અભિનેત્રીએ મંગળવારે રાત્રે આત્મહત્યા કરી છે.

શ્રાવણી મંગળવારે મધુરનગર સ્થિત ફ્લેટમાં ગળાફાંસો ખાઘેલી હાલતમાં મળી આવી હતી. પરિવારજનોનું કહેવું છે કે, શ્રાવણી પોતાના બેડરૂમમાં ગઈ અને અંદરથી દરવાજો લોક કરી દીધો હતો. બધાને એમ કે તે સ્નાન કરતી હશે. પણ તે બહુ વાર સુધી બહાર ન આવી ત્યારે બેડરૂમનો દરવાજો તોડી દીધો હતો અને જોયું તો શ્રાવણી ફાંસી પર લટકેલી હતી. જયારે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી તો ડોકટરોએ તેને મૃત ઘોષિત કરી હતી.

અભિનેત્રીના પરિવારે આરોપ મુકયો છે કે, શ્રાવણીના તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ દેવરાજ રેડ્ડીના ત્રાસથી પરેશાન થઈ ગઈ હતી અને એટલે જ તેણે આ પગલું ભર્યું છે. પોલીસનું કહેવું છે કે, આ બાબતે પરિવારે થોડાક દિવસ પહેલા ફરિયાદ પણ નોંધાવી હતીશ્રાવણીને તેની સાથે ફરવા બાબતે ચેતવણી પણ આપી હતી. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, પ્રાથમિક તપાસમાં ખબર પડી છે કે દેવરાજ સાથે ફરવા બાબતે શ્રાવણીનો મંગળવારે રાત્રે ભાઈ અને માતા સાથે ઝઘડો પણ થયો હતો. ત્યારપછી તે બેડરૂમમાં ગઈ હતી અને તેને ગળાફાંસો ખાધો હતો.

(11:43 am IST)