મુખ્ય સમાચાર
News of Saturday, 10th October 2020

રામવિલાસ પાસવાને ગરીબો અને નબળા લોકોના અધિકારની રક્ષા કરીઃ રાહુલ ગાંધી

દેશને એક એવા નેતા ગુમાવ્યો છે, જેણે બિહાર તેમજ દેશમાં રાજનીતિ અને જનસેવા પર સારી છાપ છોડી

નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનના નિધન પર દુઃખ વ્યકત કરતાં કહ્યું કે પાસવાને સૌથી વંચિત વર્ગને મદદ કરી અને ગરીબો તેમજ નબળા લોકોના અધિકારની રક્ષા કરી.

રામવિલાસ પાસવાનના દિકરા ચિરાગ પાસવાનને શોક સંદેશમાં રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે દેશને એક એવા નેતા ગુમાવ્યો છે, જેણે બિહાર તેમજ દેશમાં રાજનીતિ અને જનસેવા પર સારી છાપ છોડી છે.

રાહુલ ગાંધીએ કહ્યું, પાંચ દાયકાથી વધારે આપેલા પોતાના ઉત્કૃષ્ટ સાર્વજનિક જીવનમાં રામ વિલાસ પાસવાને સૌથી વંચિત વર્ગને મદદ કરી અને ગરીબ કમજોરોના અધિકારીઓની રક્ષા કરી છે. સાંસદ અને મંત્રી તરીકે રામવિલાસ પાસવાને આ તબક્કાઓના હિત તેમજ ચિંતાઓને પોતે સાથ આપ્યો.રાહુલ ગાંધીએ કહ્યું, હું આ મુશ્કિલભર્યા સમયમાં તમારા અને પરિવાર પ્રતિ સંવેદન પ્રકટ કરું છું.

(11:20 am IST)