News of Friday, 13th November 2020
જમાત ઉદ દાવાના પ્રવકતાને આંતકવાદ કેસમાં ૩ર વર્ષની સજા
પાકિસ્તાની આતંકવાદ વિરોધી અદાલતે આતંકને પોષવાના મામલે હાફિઝ સદઇના જોડાણવાળા જમાત ઉદ દાવા (જેયુડી) ના પ્રવકતા યાહયા મજાહિદને ૩ર વર્ષની જેલ સજાનો હુકમ કર્યો છે. પીટીઆઇને કોર્ટ અધિકારીના હવાલાથી જણાવેલ છે કે સઇદના એક સંબંધી હાફિઝ અબ્દુલ રહેમાન મકકીને પણ એક વર્ષની જેલની સજા કરાઇ છે.
(12:00 am IST)