News of Saturday, 14th November 2020
અહેમદભાઇ પટેલને કોરોનાઃ દિલ્હીની હોસ્પિટલમાં ખસેડાયા
નવી દિલ્હી : કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સાંસદ શ્રી અહેમદભાઇ પટેલને દિલ્હીની હોસ્પીટલમાં દાખલ કરાયા છે. ફરીદાબાદની હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત સ્થિર છે. થોડા દિવસથી તેઓની કોરોના અંગે સારવાર ચાલતી હતી.
ગુજરાત કોંગ્રેસ અગ્રણીઓ શ્રી અર્જુન મોઢવાડીયા ત્થા શ્રી અમિત ચાવડાએ તેમના ખબર અંતર પૂછયા હતા.
(4:43 pm IST)