મુખ્ય સમાચાર
News of Wednesday, 16th September 2020

તિરુપતિથી લોકસભા સાંસદ દુર્ગા પ્રસાદ રાવનું કોરોનાથી નિધન: વડાપ્રધાને શોક વ્યક્ત કર્યો

વાયએસઆરના નેતા છેલ્લા 15 દિવસથી ચેન્નાઇ હોસ્પિટલમાં સારવાર લેતા હતા

ચેન્નઈઃ આંધ્ર પ્રદેશના તિરુપતિના સાંસદ બલ્લી દુર્ગા પ્રસાદ રાવનુ ચેન્નઈની એપોલો હોસ્પિટલમાં નિધન થયુ છે. યુવજન શ્રમિક રાયથૂ કોંગ્રેસ પાર્ટી (વાઈએસઆર) ના નેતાનું નિધન કોરોના વાયરસ સંક્રમણને કારણે થયું છે. બલ્લી દુર્ગા છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને સારવાર માટે 15 દિવસ પહેલા તેમને ચેન્નઈ શિફ્ટ કરવામાં આવ્યા હતા. તેમના નિધન પર પ્રધાનમંત્રીર મોદીએ દુખ વ્યક્ત કર્યું છે. આ સિવાય મુખ્યમંત્રી વાઈએસ જગન મોહન રેડ્ડીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રી  મોદીએ ટ્વીટ કર્યુ કે, લોકસભા સાસંદ બલ્લી દુર્ગા પ્રસાદ રાવના નિધનથી દુખી છું. તેઓ એક અનુભવી નેતા હતા, જેમણે આંધ્ર પ્રદેશની પ્રગતિમાં ખુબ યોગદાન આપ્યુ. આ દુખના સમયમા મારી ભાવનાઓ તેમના પરિવાર અને શુભચિંતકો સાથે છે.

(9:47 pm IST)