News of Sunday, 18th October 2020
રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાથી આજે 7 મોત: સરકારી-ખાનગી હોસ્પિટલમાં 1803બેડ ખાલી
રાજકોટ : રાજકોટ શહેર- જિલ્લામાં વૈશ્વિક મહામારી કોરોનથી આજે મૃત્યુ આંકમાં એકદમ ઘટાડો થયો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક જ રાતમાં 7 દર્દીઓનાં ભોગ લેવાયા છે. સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં રિપોર્ટ મુજબ ગઈકાલે 14 મોત પૈકી બે મૃત્યુની નોંધ થઈ છે.
આ અંગે સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.17નાં સવારનાં 8 વાગ્યા થી તા.18નાં સવારનાં 8 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં શહેર - જિલ્લાના 7 દર્દીઓએ દમ તોડી દીધા હતો . શહેર અને જિલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં 1803 બેડ ખાલી છે.
(12:02 pm IST)