મુખ્ય સમાચાર
News of Sunday, 20th September 2020

અનુરાગ કશ્યપ સામે અભિનેત્રી પાયલ ઘોષે લગાવ્યો જાતીય શોષણનો આરોપ: કંગનાએ કહ્યું ધરપકડ કરો

રાષ્ટ્રીય મહિલા આયોગનાં અધ્યક્ષ રેખા શર્મા પણ આ મામલે આગળ આવ્યા : પાયલે કહ્યું બહુ જલ્દી ફરિયાદ કરીશ

મુંબઈ :  ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપ મોટી મુશ્કેલીમાં મુકાઈ શકે છે. અભિનેત્રી પાયલ ઘોષે અનુરાગ પર જાતીય શોષણનો આરોપ લગાવીને વડા પ્રધાન ઓફિસની મદદ માંગી છે. જે બાદ કંગના રણૌતથી મહિલા આયોગ સુધી અનુરાગ કશ્યપની સામે ઉભી થઈ છે.

પાયલે ટ્વીટ કર્યું, 'અનુરાગે મને દબાણ કર્યું અને ખુબ ખરાબ વર્તન કર્યું.' પાયલે વધુમાં પીએમ નરેન્દ્ર મોદીને ટૈગ કરતા લખ્યું, 'કૃપા કરીને આમના વિરૂધ્ધ પગલાં લો અને દેશને આ વ્યક્તિનો અસલી ચહેરો બતાવો. હું જાણું છું કે તે મને નુકસાન પહોંચાડી શકે છે અને મારી સલામતી જોખમમાં છે. મહેરબાની કરી મને મદદ કરો. '

પાયલના આ ટ્વીટ પર ચાહકો ઝડપથી પ્રતિક્રિયા આપી રહ્યા છે. તમામ લોકો ટ્વિટર પર એરેસ્ટ અનુરાગ કશ્યપ ટ્વીટ કરી રહ્યા છે. કંગના રણૌતે પણ આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. કંગનાએ પણ પાયલને ટેકો આપતું ટ્વીટ કર્યું, દરેક અવાજ મહત્વપૂર્ણ છે. અનુરાગ કશ્યપની ધરપકડ કરો.

આ ઉપરાંત રાષ્ટ્રીય મહિલા આયોગનાં અધ્યક્ષ રેખા શર્મા પણ આ મામલે આગળ આવ્યા છે. તેમણે ટ્વીટ કર્યું, 'તમે તમારી ફરિયાદ મને મોકલી શકો છો. રાષ્ટ્રીય મહિલા આયોગ આ મામલા પર ધ્યાન આપશે.

પાયલ ઘોષે તેને જવાબ આપ્યો અને લખ્યું- "આભાર, હું જલ્દીથી ફરિયાદ કરીશ.

પાયલ ઘોષ હિન્દી, સાઉથ અને પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત પાયલ વર્ષ 2016 માં ટીવી સીરિયલ સાથ નિભાના સાથિયામાં પણ જોવા મળી હતી. આ શોમાં તેણે રાધિકાની ભૂમિકા નિભાવી હતી.

(10:45 am IST)