રાજકોટ શહેર - જીલ્લામાં કોરોનાની ઉછળ કુદ : આજે વધુ ૯નો જીવ લીધો
સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ ગઇકાલે કોરોનાથી૮ મોત પૈકી એક મૃત્યુની નોંધ : શહેર - જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૧૮૭૭ બેડ ખાલી
રાજકોટ, તા. ૨૨: શહેર અને જીલ્લામાં છેલ્લા સપ્તાહમાં વેશ્વિક મહામારી કોરોનાથી મુત્યુની સંખ્યામા સતત વધ - ઘટ જોવા મળી રહી છે. આજે વધુ ૯ ના મોત થયા છે.
સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે કોરોનાથી એક મૃત્યુની નોંધ થઇ છે.
આ અંગે તંત્રની સતાવાર વિગત મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ ગઇકાલ તા.૨૧નાં સવારે ૮ વાગ્યાથી તા.૨૨ને આજ સવારનાં ૮ વાગ્યા સુધીમાં શહેર - જિલ્લામાં ૯ દર્દીઓએ દમ તોડી દીધા હતો.
તંત્રની સતાવાર યાદીમાં કોવીડ-નોન કોવીડ થી શહેર-જીલ્લામાં ૯નાં મૃત્યુ જાહેર થયા છે. જયારે તે જ યાદીમાં સરકાર નિયુકત કોવિડ ડેથ - ઓડિટ કમિટિએ જાહેર કર્યા મુજબ રાજકોટ શહેર અને જીલ્લામાં ગઇકાલે કોરોનાથી ૮ પૈકી એક મૃત્યુ જાહેર કરવામાં આવ્યા છે.
કોરોનાની સારવાર માટે શહેર અને જીલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમા ૧૮૫૮ બેડ ખાલી છે.
શહેર - જિલ્લામાં રોજબરોજ જે દર્દીઓના મોત થઇ રહ્યા છે તેમાં મોટી ઉમરના દર્દીઓનો સમાવેશ વધુ થાય છે જયારે રવિવારે - ૬ , સોમવારે- ૭ , મંગળવારે-૫ તથા બુધવારે - ૮ દર્દીઓનાં મૃત્યુ થયા છે.