મુખ્ય સમાચાર
News of Wednesday, 23rd September 2020

કોરોનાઃ હવે પછીના ૯૦ દિવસ એકદમ મહત્વપૂર્ણ

શિયાળામાં કોરોના વાયરસ વધુ ઘાતક બની શકે છે : એટલું જ નહીં દેશમાં તહેવારની સિઝન શરૂ થઇ ચૂકી છે. એવામાં સંક્રમણ વધુ ઝડપથી ફેલાઇ શકે છે

નવી દિલ્હી,તા.૨૩: દેશમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોના સંક્રમણના કેસ મામલે સ્વાસ્થ્ય મંત્રાલયની ચિંતા વધારી દીધી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર આગામી ત્રણ મહીના ખૂબ પડકારજનક રહી શકે છે. શિયાળામાં કોરોના વાયરસ વધુ ધાતક બની શકે છે. એટલું જ નહી દેશમાં તહેવારની સિઝન શરૂ થઇ ચૂકી છે. એવામાં સંક્ર્મણ વધુ ઝડપથી ફેલાઇ શકે છે.

જોકે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં કોરોના વાયરસના દર્દીઓના રિકવરી રેટમાં સતત સુધારો આવી રહ્યો છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણએ જણાવ્યું કે ભારતમાં રિકવરી રેટ ૮૦ ટકાને પાર પહોંચી ગયો છે અને અત્યાર સુધી ૪૪.૯ લાખ કોરોના દર્દી સારવાર બાદ સાજા થયા છે. આ દુનિયાભરમાં રિકવરી દર્દીઓની સૌથી વધુ સંખ્યા છે. સચિવ રાજેશે જણાવ્યું કે આજે ૧ લાખથી વધુ દર્દીઓની રિકવરી થઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે વિશ્વના કુલ કોરોના કેસ ૨૨.૪ ટકા અમેરિકામાં, ૧૭.૭ ટકા ભારતમાં અને ૧૪.૫ ટકા બ્રાજીલમાં છે. જયારે વિશ્વની કુલ રિકવરીમાં ભારતનો ૧૯.૫ ટકા છે. તેમાં અમેરિકા ૧૮.૬ ટકા સાથે બીજા નંબર પર અને ૧૬.૮ ટકા સાથે બ્રાજીલ ત્રીજા નંબર પર છે.

દેશમાં મંગળવારે કોરોનાનો આંકડો ૫૫ લાખને પાર પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ઝડપથી વધી રહેલા આંકડા પર ચિંતા વ્યકત કરી છે. મંત્રાલયના અનુસાર આગામી ત્રણ મહિના મોટો પડકાર રહેશે. શિયાળામાં વાયરસ વધુ દ્યાતક થઇ શકે છે. એટલું જ નહી આગામી દિવસોમાં તહેવારની સિઝન છે તે સમયે સંક્રમણ વધુ ઝડપથી ફેલાઇ શકે છે.

(11:05 am IST)