News of Monday, 23rd November 2020
છતીસગઢમાં સુરક્ષાબલો સાથે અથડામણમાં મહિલા માઓવાદી સહિત ૩ માઓવાદી માર્યા ગયાઃ એક જવાન પણ ઘાયલ
છતીસગઢના નકસલ પ્રભાવિત કાંકરે જિલ્લામાં સુરક્ષાબલોએ અથડામણમાં ૧ મહિલા માઓવાદી સહિત ત્રણ માઓવાદિઓને મારી નાખ્યા છે. બસ્તર રેંજના પોલીસ મહાનિરીક્ષક (આઇજી) સુંદરરાજ પી.એ. બતાવ્યું કે અથડામણમાં સશષા સીમા બલનો એક જવાન પણ ઘાયલ થયો છે. પોલીસ એ કહ્યું સ્થળ પરથી ઓટોમેટિક રાઇફલ સહિત ૩ હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે.
(9:38 pm IST)