કેન્દ્રીય મંત્રીનો દાવો : આગામી ૨-૩ મહિનામાં મહારાષ્ટ્રમાં થશે નવાજૂનીઃ રાજયમાં ફરી આવશે ભાજપની સરકાર
મુંબઇ,તા. ૨૪: કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેએ દાવો કર્યો છે કે, ભાજપ મહારાષ્ટ્રમાં આગામી ૨-૩ મહિનામાં સરકાર બનાવી લેશે. ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રીએ પાર્ટીના કાર્યકર્તાઓ સાથે એક બેઠકને સંબોધિત કરતા આ દાવો કર્યો છે.
તેમણે કહ્યું કે, ભાજપના કાર્યકર્તાઓએ તે નહીં વિચારવું જોઈએ કે આપણી સરકાર મહારાષ્ટ્રમાં નહી આવે. આપણે આગામી ૨-૩ મહીનામાં અહીં સરકાર બનાવી લેશું. અમે તેના પર કામ કર્યું છે. આપણે વિધાન પરિષદની ચૂંટણી પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યાં છીએ.
અહીં ઉલ્લેખનિય છે કે, મહારાષ્ટ્રમાં ઠીક એક વર્ષ પહેલાં દેવેન્દ્ર ફડણવીસે NCP નેતા સાથે મળીને રાજયમાં ૮૦ કલાકની સરકાર બનાવી હતી. જે બાદ મહારાષ્ટ્રમાં ફરી ભાજપ સરકાર બનાવશે તેવો દાવો ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેએ કર્યો છે.