News of Friday, 25th September 2020
એસ.પી. બાલા સુબ્રમણ્યમનો મખમલી અવાજ સદૈવ ગુંજતો રહેશેઃ પરિમલભાઇ નથવાણી
નવી દિલ્હીઃ આંધ્રપ્રદેશના રાજયસભાના સભ્ય શ્રી પરીમલભાઇ નથવાણીએ ટવીટ કરી સુપ્રસિધ્ધ ગાયક એસ.પી. બાલાસુબ્રમણ્યમ (ઉ.વ.૭૪) નું કોરોનામાં દુઃખદ અવસાન થતા ઘેરા શોકની લાગણી દર્શાવી છે. તેમના પરિવારને પાઠવેલા શોકસંદેશમાં જણાવ્યુ છે કે તેમનો મખમલી અવાજ તેમના ગીતો દ્વારા સદૈવ ગુંજતો રહેશે.
(4:07 pm IST)