મુખ્ય સમાચાર
News of Tuesday, 27th October 2020

દિલ્હી-બિહારમાં 'બંધી'સરકાર : હવે પરિવર્તનની લહેર

બિહારના મતદાતાઓના નામે સોનિયા ગાંધીનો સંદેશ

નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મંગળવારે સવારે બિહારના વોટરોના નામે એક સંદેશ આપ્યો હતો. જેમાં તેમણે હાલની નીતિશ સરકાર પર નિશાન સાધતા આ વિધાનસભામાં મહાગઠબંધનનો સાથ આપવા અપીલ કરી છે. સોનિયાએ કહ્યું કે હવે બિહારમાં બદલાવની લહેર છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટર પર સોનિયા ગાંધીના આ સંદેશને જારી કર્યો હતો. સોનિયા ગાંધીનો આ સંદેશ બિહારમાં પહેલા ચરણના મતદાનથી ઠીક એક દિવસ પહેલા આવ્યો છે.

કોંગ્રેસ બિહારમાં ૭૦ સીટો પર ચુંટણી લડી રહી છે  કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીનું કહેવું છે કે દિલ્હી-બિહારમાં બંધી સરકાર છે. નોટબંધી, તાલાબંધી, વ્યાપારબંધી, આર્થિકબંધી, ખેત ખલિયાન બંધી, રોટી-રોજગાર એટલા માટે આવી બંધી સરકારની વિરુદ્ઘ બિહારની જનતા તૈયાર છે અને હવે પરિવર્તનની લહેર છે.

 વીડિયો સંદેશમાં સોનિયા ગાંધીએ કહ્યું કે આજે બિહારમાં સત્ત્।ા અને તેમના અહંકારમાં ડૂબેલી સરકારને પોતાના રસ્તાથી હટી ગઈ છે. ના કહેણ સારા છે ના કર્મ. મજૂર, ખેડૂત, યુવાનો આજે પરેશાન અને નિરાશ છે. અર્થવ્યવસ્થાની નાજુક સ્થિતિ લોકોને ભારે પડી રહી છે.

 તેમણે કહ્યું કે ધરતીના પુત્ર પર આજે ભારે સંકટ છે. દલિત-મહાદલિતોને બેહાલ છોડી દીધા છે. સમાજનો છેલ્લે વર્ગ બેહાલીનો શિકાર છે. બિહારની જનતાનો અવાજ કોંગ્રેસ મહાગઠબંધન સાથે છે.

 લગભગ ૫ મિનિટના સંદેશમાં સોનિયા ગાંધીએ કહ્યું કે બિહારના હાથોમાં ગુણ છે, તાકાત છે પરંતુ બેરોજગારી, પલાયન, મોંઘવારીએ આંખોમાં આંસુ અને પગમાં ફોડલા આપ્યા છે. જે શબ્દો કહી ન શકાય તેને આંસુથી કહેવા પડે છે.

 તેમણે કહ્યું કે ભય, ડરના આધારે નીતિઓ ન બનાવી શકાય બિહાર ભારતનો અરીસો છે. ભારતની શાન અને અભિમાન છે. હવે સવાલ બેરોજગારી, ખેતી બચાવવા, સ્વાસ્થ્ય અને શિક્ષણનો છે. ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધીની તબિયત ખરાબ હોવાને કારણે તેઓ ચૂંટણી પ્રચાર નથી કરી રહ્યા. કોંગ્રેસ બિહારમાં ૭૦ સીટો પર ચુંટણી લડી રહી છે અને મહાગઠબંધનનો ભાગ છે.

(2:29 pm IST)