મુખ્ય સમાચાર
News of Tuesday, 29th September 2020

હાથરસમાં ગેંગરેપનો શિકાર છોકરીનું ૧૫ દિન બાદ મોત

છોકરીએ મૃત્યુ પહેલાં હકીકત ઈશારાથી જણાવી : બાજરીના ખેતરમાં લઈ જઈ ચાર પિશાચોએ છોકરીને વારાફરતી પિંખી નાખી, જીભ કાપી, કમર તોડી નાંખી

હાથરસ, તા. ૨૯ : યુપીના હાથરસમાં ગેંગરેપનો શિકાર બનેલી છોકરીનું ૧૫ દિવસ પછી દિલ્હીની એઇમ્સમાં નિધન થયું હતું. છોકરીની સાથે હેવાનિયતનો અંદાજ હકીકત પરથી લગાવી શકાય છે કે બદમાશોએ તેને વારાફરતી તેમની વાસનાનો શિકાર બનાવી હતી. છોકરી તેની જીભ ખોલી શકી, તેથી તેની જીભ કાપી. તે તેના ઘરે પહોંચી શકે માટે તેની કમર તોડી નાખી. આટલી હેવાનિયત બાદ પણ તેણે છેલ્લા શ્વાસ સુધી જીવનની લડત ચાલુ રાખી. કેસમાં પોલીસની બેદરકારી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. રાજકારણ ગરમાતા પોલીસ એક્શનમાં આવી હતી. ગેંગરેપની ઘટના બાદ હોસ્પિટલમાં દાખલ થયેલી છોકરીને દિવસ બાદ હોશ આવ્યો હતો. તેણે સભાનતા પ્રાપ્ત થયા બાદ તે કપાયેલી જીભને લીધે કંઇ બોલી શકી નહીં. હાવભાવમાં પોતાની સાથે થયેલી હેવાનિયત વ્યક્ત કરી હતી. નિવેદન લેવા પહોંચેલા સી.. છોકરીનું નિવેદન બે પાનામાં લખ્યું હતું.

અત્રે ઉલ્લેખનિય છે કે ૧૪ સપ્ટેમ્બરના રોજ હાથરસના પોલીસ સ્ટેશન ચાંદપા વિસ્તારના ગામમાં ૧૯ વર્ષીય દલિત યુવતી સાથે ગામના ચાર નાલાયક યુવકો સામે ગેંગરેપનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પીડિતા સાથે હેવાનિયત આચરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર દુષ્કર્મ બાદ તેની જીભ પણ કાપી નખાઈ હતી. જે બાદ પીડિતાને અલીગઢની જેએન મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી હતી. આરોપીની ઓળખ સંદિપ, લવકુશ, રામુ અને રવિ તરીકે થઈ છે, જેઓ ગામના છે. હાથરસના પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે સંદીપની ૧૪ સપ્ટેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ઘટનાના ઘણા દિવસો બાદ પોલીસે રામુ અને લવકુશની ધરપકડ કરી હતી. તે સમયે, ૨૬ સપ્ટેમ્બરના રોજ ફરાર થયેલા ચોથા આરોપી રવિની ધરપકડ કરી જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. ૧૪ સપ્ટેમ્બરના રોજ હાથરસના ચાંદપા ગામમાં ચાર લુખ્ખા યુવકોએ બાજરીના ખેતરમાં ૧૯ વર્ષની દલિત યુવતી પર ગેંગરેપ કર્યો હતો.

કેસમાં પોલીસે બેદરકાર વલણ અપનાવ્યું હતું. દુષ્કર્મની કલમો હેઠળ કેસ નોંધ્યો હતો, જ્યારે છેડતીના આરોપસર એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી. પછી તેની સામે કલમ ૩૦૭ (ખૂનનો પ્રયાસ) હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ઘટનાના દિવસ પછી જ્યારે પીડિતાને હોશ આવ્યો ત્યારે તેણે તેના પરિવારને તેની સાથે બનેલી ઘટના વિશે જણાવ્યું. છોકરીની વાત સાંભળીને બધા ચોંકી ગયા. જ્યારે મામલો બહાર આવ્યો ત્યારે રાજકારણ વધુ તીવ્ર બન્યું.ભીમ આર્મીથી લઈને બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ સરકાર પર નિશાન તાક્યું હતું.

(7:42 pm IST)