Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

પાકિસ્તાનના પેશાવરમાં આવેલા દિલીપકુમાર અને રાજકપુરના જન્મ સ્થાન ઐતિહાસિક સ્મૃતિ તરીકે સચવાશે : ખૈબર પખ્તુનખ્વા સરકારનો નિર્ણય : જર્જરિત હાલતમાં ઉભેલા આ જન્મ સ્થાનોનો જીર્ણોધ્ધાર કરાશે

પેશાવર : ભારતના દિગ્ગ્જ બૉલીવુડ કલાકારો દિલીપકુમાર તથા સ્વ.રાજકપુરના પેશાવરમાં આવેલા જન્મ સ્થાનને ખૈબર પખ્તુનખ્વા સરકારે ઐતિહાસિક સ્મૃતિ તરીકે જાળવી રાખવાનો નિર્ણય કર્યો છે. આ જન્મ સ્થાનો ખંઢેર હાલતમાં હોવાથી તેનું ડેમોલાઈઝેશન કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. પરંતુ અનેક ચાહકોની લાગણીને ધ્યાને લઇ હવે આ જર્જરિત હાલતમાં ઉભેલા રાજકપુરના કપૂર હવેલી તરીકે ઓળખાતા તથા દિલીપકુમારના જન્મ સ્થાનનો  જીર્ણોધ્ધાર કરાશે .

(7:09 pm IST)