Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

ભારતમાંથી ભાગી મલેશિયામાં આશરો લેનાર જાકીર નાઈકે ઝેર ઓક્યું : પયગંબરની ટીકા કરનારા ગેર મુસ્લિમો તમારા દેશમાં આવે ત્યારે જેલભેગા કરો : પયગમ્બરની ટીકા કરનારા મોટા ભાગના લોકો ભાજપના ભક્તો હોવાનો આક્ષેપ

મલેશિયા : ભારતમાં નફરત ફેલાવી મલેશિયા ભાગી ગયેલા ધર્મગુરુ જાકીર નાયકે ત્યાં બેઠા પણ નફરત ફેલાવવાનું શરૂ કરી દીધું છે.તેમણે મુસ્લિમ રાષ્ટ્રો સમક્ષ  ઝેર જેવા શબ્દો ઓકતા  જણાવ્યું હતું કે પયગંબરની ટીકા કરનારા ગેર મુસ્લિમો તમારા દેશમાં આવે ત્યારે તેમને  જેલભેગા કરો.

તેમણે ઉમેર્યું હતું કે પયગમ્બરની ટીકા કરનારા મોટા ભાગના લોકો ભાજપના ભક્તો છે.તેમનો ડેટા તૈયાર કરો અને તમારા દેશમાં આવે ત્યારે તેઓને જેલભેગા કરી દેજો.
ઉલ્લેખનીય છે કે જાકીર ઉપર ભારતમાં નફરત ફેલાવતા ભાષણો આપવાનો તથા મની લોન્ડરિંગનો કેસ છે.

(1:57 pm IST)