Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

અમેરિકાના ન્યૂજર્સીમાં વસતા ભારતીય પરિવારોએ ' છઠ પૂજા ' ઉત્સવ ઉજવ્યો : બિહાર ઝારખંડ એશોશિએશન ઓફ નોર્થ અમેરિકાના ઉપક્રમે ઉજવાઈ ગયેલા 4 દિવસીય ઉત્સવમાં 600 જેટલા પરિવારોએ તળાવ કાંઠે સૂર્ય પૂજા કરી ઉર્જા મેળવી : ભારતના કોન્સ્યુલ જનરલ તથા ડેપ્યુટી જનરલ શ્રી રણધીર જયસ્વાલ તથા શ્રી શત્રુઘ્ન સિંહાએ હાજરી આપી

ન્યુજર્સી : ભારતમાં વસતા પરિવારો માટે  આ વર્ષે કોરોના વાઇરસના કહેરને કારણે છઠ પૂજા ઉત્સવની જાહેર ઉજવણી ઉપર પ્રતિબંધ હતો.પરંતુ અમેરિકાના ન્યૂજર્સીમાં વસતા ભારતીય પરિવારોએ આ સંસ્કૃતિ જાળવી રાખી ભારે ઉમંગ પૂર્વક ઉત્સવ ઉજવ્યો હતો.

21 નવેમ્બરથી શરૂ કરાયેલી ઉજવણી ચાર દિવસ ચાલી હતી.  જે અંતર્ગત  બિહાર ઝારખંડ એશોશિએશન ઓફ નોર્થ અમેરિકાના ઉપક્રમે ઉજવાઈ ગયેલા આ  4 દિવસીય ઉત્સવમાં 600 જેટલા પરિવારોએ  તળાવ કાંઠે સૂર્ય પૂજા કરી ઉર્જા મેળવી હતી. જેમાં બિહાર તથા ઉત્તર પ્રદેશના પરિવારો વિશેષ પ્રમાણમાં જોવા મળ્યા હતા .
ઉત્સવની ઉજવણીમાં ભારતના ન્યુયોર્ક ખાતેના  કોન્સ્યુલ જનરલ તથા ડેપ્યુટી જનરલ   શ્રી રણધીર જયસ્વાલ તથા શ્રી શત્રુઘ્ન સિંહાએ હાજરી આપી હતી.

(8:23 pm IST)