પ્રવાસી ભારતીય દિવસ 2021 : 4 ઇન્ડિયન અમેરિકનને એવોર્ડ આપી સન્માનિત કરાયા
ન્યુદિલ્હી : તાજેતરમાં 9 જાન્યુઆરીના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન કરાયેલા 16 મા પ્રવાસી ભારતીય દિવસ નિમિતે 4 ઇન્ડિયન અમેરિન પ્રવાસીઓને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા.
રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનાં હસ્તે વર્ચ્યુઅલ સન્માનિત કરાયેલા 4 ઇન્ડિયન અમેરિકનમાં ડો.સુધાકર જોનાલાગડ્ડા ,ડો.મુકેશ અઘી ,ડો.અરવિંદ ફુકન ,તથા શ્રી નીલુ ગુપ્તાનો સમાવેશ થાય છે.
જે પૈકી અમેરિકન એશોશિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજીન ( AAPI ) પ્રેસિડન્ટ ડો.સુધાકર જોનાલાગડ્ડાને મેડિસિન માટે,
તથા યુ.એસ.ઇન્ડિયા સ્ટેટેજીક પાર્ટનરશીપ ફોરમ પ્રેસિડન્ટ તથા સી.ઈ.ઓ.ડો.મુકેશ અઘીને બિઝનેસ , કોર પ્રોફેશનલ ગ્રુપ ફોર બ્રહ્મપુત્રા ફાઉન્ડર ડો.અરવિંદ ફુકનને એન્વાયરમેન્ટ ટેક્નોલોજી , તથા શ્રી નીલુ ગુપ્તાને ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવા માટે એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા..
ઉપરાંત ફેડરેશન ઓફ ઇન્ડિયન એશોશિએશન ઓફ ટ્રીસ્ટેટ ન્યુયોર્ક ન્યુજર્સી ,કનેક્ટીકટ ( FIA ) ને કોમ્યુનિટીના છત્ર સમાન ઓર્ગેનાઈઝેશ તરીકે બહુમાન કરાયું હતું.જે બદલ FIA પ્રેસિડન્ટ શ્રી અનિલ બંસલે આભાર વ્યક્ત કર્યો હતો.
આ વર્ષના પ્રવાસી ભારતીય દિવસનું સૂત્ર ' આત્મનિર્ભર ભારત ' રાખવામાં આવ્યું હતું.