એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 16th September 2020

બે વર્ષની જેલસજા ભોગવી ભારતીય નાગરિક પાકિસ્તાનથી પરત : ભૂલથી સરહદ ઓળંગી ગયો હતો : સજા પુરી થતા વાઘા બોર્ડર ઉપર બીએસએફ ને સોંપી દેવાયો

ઇસ્લામાબાદ  : ભૂલથી ભારતની સરહદ ઓળંગી પાકિસ્તાનની સીમામાં જતા રહેલા ભારતીય નાગરિકને પાકિસ્તાન સરકારે બે વર્ષની સજા કરી હતી.જે સજા પુરી થતા તેને વાઘા બોર્ડર ઉપર બીએસએફ ને સોંપી દેવાયો હતો.જ્યાંથી તે પોતાના ઘેર પરત ફરી શક્યો હતો.

અનિલ ચામરુ નામનો મધ્ય પ્રદેશનો નાગરિક 2015 ની સાલમાં લાહોરથી 60 કિલોમીટર દૂર આવેલી ગંદાસિંહ સીમાથી પાકિસ્તાનમાં પ્રવેશી ગયો હતો.જેને પાકિસ્તાનમાં ગેરકાયદે પ્રવેશ કરવા બદલ બે વર્ષની સજા ફરમાવાઈ હતી.પરંતુ કાનૂની અડચણ અને પ્રક્રિયાને કારણે તેણે વધુ બે વર્ષ જેલમાં વિતાવવા પડ્યા હતા.

(12:49 pm IST)