સત્ય નારાયણ કથા ' : યુ.એસ.માં મંગલ મંદિર મેરીલેન્ડ ખાતે 27 ફેબ્રુઆરી 2021 શનિવારના રોજ ફેસબુક ઉપર લાઈવ સાંભળવાનો મોકો : 11 માર્ચના રોજ ' મહા શિવરાત્રી પર્વ ' ઉજવાશે
મેરીલેન્ડ : યુ.એસ.માં મંગલ મંદિર મેરીલેન્ડ ખાતે 27 ફેબ્રુઆરી 2021 શનિવારના રોજ ફેસબુક ઉપર લાઈવ ' સત્ય નારાયણ કથા ' નું આયોજન કરવામાં આવ્યું છે.જેનો સમય બપોરે 4 વાગ્યાનો રાખવામાં આવ્યો છે.કથામાં શામેલ થવા માટે 51 ડોલર ન્યોચ્છાવરની અપેક્ષા રાખવામાં આવી છે.જે માટે રજીસ્ટ્રેશન કરાવવા મંદિરના કોન્ટેક નમ્બર (301)421-0985 દ્વારા સંપર્ક કરવા જણાવાયું છે.
વર્તમાન કોવિદ -19 સંજોગોને કારણે હાલની તકે 12 જાન્યુઆરી 2021 થી મંદિરમાં દર્શનના સમય મર્યાદિત કરવામાં આવ્યા છે.જે મુજબ દર્શનનો સમય સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીનો રહેશે.આરતી બપોરે 11-45 કલાકે થશે.તેમજ સાંજના દર્શનનો સમય સાંજે 5 વાગ્યાથી 7-30 કલાક સુધીનો રાખવામાં આવ્યો છે.જે અંતર્ગત આરતી સાંજે 7 વાગ્યે થશે.
આગામી 11 માર્ચના રોજ ' મહા શિવરાત્રી પર્વ ' ઉજવાશે .જે અંતર્ગત કાઉન્ટીની ગાઈડ લાઈન ધ્યાને લઈને બપોર પછી મંદિર બંધ રાખવું કે કેમ તે અંગે નિર્ણય લેવાશે.
વિશેષ માહિતી મંદિરની વેબસાઈટ www.mangalmandir.org દ્વારા મેળવી શકાશે.તેમજ ફેસબુક પેજ દ્વારા પણ ફ્રેન્ડશીપ કરી શકાશે.તેવું મંદિરની યાદીમાં જણાવાયું છે.