Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

ચિંતા

''તમારા વ્યકિતત્વ અને તમારી વચ્ચે અંતર ઉભુ કરો તમારી બધીજ સમસ્યાઓ તમારા વ્યકિતત્વ સાથે જોડાયેલી છે, તમારી સાથે નહી. તમારે કોઇ સમસ્યાઓ જ નથી કોઇને ખરેખર કઇ સમસ્યાઓ જ નથી બધીજ સમસ્યાઓ વ્યકિતત્વના લીધે છે.''

જયારે પણ તમને ચીંતાનો અનુભવ થાય, ફકત યાદ રાખો કે તે તમારા વ્યકિતત્વોને થાય છે. જયારે તમે તાણ અનુભવો, ફકત યાદ રાખે કે તે વ્યકિતત્વને થાય છે તમે પ્રેક્ષક છો, સાક્ષી છો અંતર રાખો બીજુ કઇ કરવાની જરૂર નથી.

એકવાર તમે અંતર ઉભુ કરશો તો તમે અચાનક જોશો કે ચીંતા અદ્રશ્ય થઇ ગઇ છે. જયારે પણ અંતર નહી રાખો અને તમે ફરીથી નજીક આવશો તો ફરીથી ચીંતાનો ઉદભવ થશે. ચીંતાને વ્યકિતત્વની સમસ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. વિશ્રામનો અર્થ જોડાવુ નહી અને વ્યકિતત્વની સમસ્યાઓથી અલગ રહેવું.

તેથી એક મહીના માટે પ્રયોગ કરો. જે કઇપણ બને છે તેનાથી દુર રહો. ઉદાહરણ તરીકે જો તમને માથામાં દુખે છે. ફકત તેનાથી અલગ રહેવાની કોશીષ કરો અને દુખાવાને જુઓ તે શરીરના કોઇ યાંત્રીક ભાગમાં થઇ રહ્યો છે. તમે તેનાથી અલગ ઉભા છો કોઇ ટેકરી ઉપર દુરથી પ્રેક્ષકની જેમ જુઓ છો. અને તે હજારો કીલો મીટર દુર થઇ રહ્યો છે. ફકત અંતર ઉભુ કરો. તમારા અને દુઃખાવા વચ્ચે અવકાશ ઉત્પન્ન કરો અને તે અવકાશને વધારતા જાવ એક  એવો સમય આવશે જે અચાનક તમે જોશો કે માથાનો દુઃખાવો ખુબ જ દુર અદ્રશ્ય થઇ ગયો છે.

સંકલન-

સ્વામી સત્યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(10:01 am IST)