Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

પુરૂષોતમ ગુરૂ તું...!

પરમાત્મા જ સંસારનો આધાર

જીવનમાં સુખ અને દુઃખ આવવાનું કારણ કોઇ વિશેષ સ્થાન નથી પરંતુ પોતે કરેલા કર્મો જ છે આપણે જેવા કર્યો કર્યા હશે તેને અનુરૂપ પરિણામ આપવાની વ્યવસ્થા પ્રકૃતિ પોતે જ કરી દે છે અને પ્રકૃતિની પહોચ આ સૃષ્ટિના દરેક ખુણા સુધી છે. તેથી જીવાત્મા આ લોકમાં હોય કે પછી બીજા કોઇ લોકમાં હોય એનાથી કોઇ ફેર પડતો નથી.

શુભકર્મોનું પરિણામ પ્રાપ્ત કરવા માટે જીવાત્મા સ્વર્ગ લોકમાં જાય છે. જયારે અશુભ કર્મોનું ફળ ભોગવવા માટે નરકમાં જવું પડે છે.

પરમાત્મા જ આ સંસારનો મૂળ આધાર છે. તેઓજ આ સંસારરૂપી વૃક્ષના મુળિયા છેતથા સંસારરૂપી વૃક્ષની શાખાઓ છે.

પ્રકૃતિના ત્રણ ગુણ છે. એ ગુણો સાથે તાદાત્મ્ય સાધવાને કારણે અહંતા કામના અને વાસનાનો ભાવ જીવાત્માના બંધનનું કારણ બની જાય છે.

ઇશ્વરને પ્રેમ કરવો તે સારી વાત છે પરંતુ તેની શરૂઆત પોતાના સ્વજનોને પ્રેમ કરવાથી થાય છે. જે માણસ બીજા કોઇને પ્રેમ કરી શકતો નથી તે ઇશ્વરને કઇ રીતે પ્રેમ કરી શકે ? ઇશ્વર જ જુદા જુદા રૂપોમાં પ્રાણીમાત્રમાંં રહેલો છે. મનુષ્ય, પશુ પક્ષી બધામાં એ વ્યાપેલા છે તેથી ભગવાનનો સાચો ભકત પ્રાણીમાત્રમાં ઇશ્વરના દર્શન કરે છે. જે ઇશ્વરને સાચા દિલથી પ્રેમ કરે છે તે કોઇનો પણ તિરસ્કાર કરી શકતો નથી.

મા પોતાના બાળકથી અળગી થઇ શકતી નથી. તે તેને પોતાના જીવ કરતા પણ વધુ પ્રેમ કરે છે. જયારે ભકત અને ભગવાન વચ્ચે જુદાઇની ખાઇ કોય છે ત્યાં સુધી ભકતને ભગવાનની પ્રાપ્તી થતી નથી ભકત અને ભગવાન એક નથી બનતા તેમની વચ્ચે અદ્દૈત સધાતુ નથી ત્યાં સુધી ભકત ભગવાનને પ્રાપ્ત કરી શકતો નથી.

જયારે તુલસીદાસનો પ્રેમ ભગવદ્દ ભકિતમાં ફેરવાઇ ગયો ત્યારે જ આપણને ''રામચરિત માનસ'' જેવો એક અદ્દભૂત ગ્રંથ પ્રાપ્ત થયો.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:53 am IST)