Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

રાજકોટના દિલીપભાઇ વસંત પરિવાર દ્વારા દ્વારકામાં શ્રીમદ ભાગવત કથા

રાજકોટ,તા. ૧: શ્રીમતી શારદાબેન તથા શ્રી દિલીપભાઇ મગનભાઇ વસંત પરિવાર દ્વારા તા. ૨૮ ફેબ્રુઆરીથી તા. ૬ માર્ચ સુધી બાંગડ ભવન, શાક માર્કેટ ચોક, દ્વારકા ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયેલ છે. જેના વ્યાસાસને મોરબીવાળા શ્રી નિખિલભાઇ જોષી બિરાજી સંગીતમય શૌલીમાં કથાશ્રવણ કરાવી રહ્યા છે. કથાનો સમય દરરોજ બપોરે ૩ થી ૭ સુધીનો છે.

ભાગવત કથામાં આવતીકાલે મંગળવારે નરસિંહ પ્રાગટ્ય પ્રસંગ, બુધવારે સાંજે રામ જન્મ અને નંદોત્સવ ઉજવાશે. તા. ૬ શનિવારે બપોરે પૂર્ણાહુર્તિ થશે. પરિવારના લાડકવાયાઓ દર્શન , આલોક, રોનક, માનવ અને પ્રિન્સને તા. ૫ શુક્રવારે યજ્ઞોપવિત ધારણ કરાવવાનો પ્રસંગ ઉજવાશે. વસંત પરિવારવતી પ્રકાશભાઇ, વિજયભાઇ, મિતેષભાઇ વગેરેએ ધર્મપ્રેમીઓને કથાશ્રવણનો લાભ લેવા નિમંત્રણ પાઠવ્યું છે.

(1:59 pm IST)