Gujarati News

Gujarati News

News of Monday, 1st March 2021

જૈન સમાજના અગ્રણીઓએ કોવીડ વેકિસન લીધી

રાજકોટ :.. આજ રોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તથા અંજલીબેન રૂપાણીની પ્રેરણાથી કોવીડ-૧૯ ને અનુલક્ષીને ૬૦ માટે કોવીડ વેકિસન જૈન સમાજના અગ્રણી શ્રી ચંદ્રકાંતભાઇ શેઠ, મુકેશભાઇ શેઠ, નિલેશભાઇ શાહ, સ્મિતાબેન શેઠ વિ. એ કેન્સર હોસ્પિટલ ખાતે વેકિસન લીધેલ છે. તેઓએ ખાસ ઉલ્લેખ કરેલ છે કે, આ વેકિસનની કોઇ આડઅસર નથી અને સમાજની પ્રત્યેક વ્યકિતએ વેકિસન લેવી ખૂબ જ આવશ્યક છે તેમાં કોઇપણ પ્રકારનો ડર રાખવાની જરૂર નથી. આપણા મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની પ્રજાને લક્ષમાં રાખીને સ્વાસ્થ્ય માટે કોવીડ-૧૯ નું અભ્યાન ઉપાડયું છે.

(2:54 pm IST)