Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

ધોળકીયા સ્કુલના સંચાલક કૃષ્ણકાંતભાઈ ધોળકીયાના ભાઈ હરગોવિંદભાઈનું કોરોનાથી મૃત્યુ

હરગોવિંદભાઈ ધોળકીયાની સારવાર દરમિયાન હૃદયરોગનો હુમલો આવતા મૃત્યુ : ઘેરો શોક

રાજકોટ, તા. ૧ : સૌરાષ્ટ્ર-ગુજરાતની મોખરાની ધોળકીયા સ્કુલના સંચાલક કૃષ્ણકાંતભાઈ ધોળકીયા અને જીતુભાઈ ધોળકીયાના ભાઈ હરગોવિંદભાઈ ધોળકીયાનું કોરોનાની સારવાર દરમિયાન હૃદયરોગનો હુમલો આવતા મૃત્યુ થયુ છે.

ખૂબ મળતાવળા સ્વભાવના અને ધર્મપરાયણ હરગોવિંદભાઈનું દુઃખદ અવસાન થતા ઘેરા શોકની લાગણી છવાઈ છે. દશા સોરઠિયા વણિક ગૌ.વા. ગિરધરલાલ કેશવજીભાઈ ધોળકિયાના પુત્ર હરગોવિંદભાઈ ગિરધરલાલ ધોળકિયા (ઉ.વ. ૬૭) જે રવિ (ગુંજન) અને કૃતિ દીપકુમાર ગગલાણીના પિતાશ્રી, માલતીબેનના પતિ, ચાંદનીના સસરા અને કુષ્ણકાન્તભાઈ, કિશોરભાઈ, જીતુભાઈ ધોળકિયા તેમજ સરોજબેન નટવરલાલ પારેખ, કિરણબેન પ્રશાંતભાઈ સાંગાણી, રશ્મિબેન નરેન્દ્રભાઈ ગગલાણી, રેખાબેન દિપકકુમાર કુરાણીના ભાઈ, ભાયાવદર વાળા સ્વ. ખુશાલદાસ ધરમશીભાઈ સાંગાણીના જમાઈ તે મિતુલ, ધવલ, પૂજા, વિરલના કાકા તેમજ હાવિના દાદા અને ધ્યેયના નાના તા. ૨૯ ને મંગળવારે શ્રીજી ચરણ પામેલ છે. પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના. તેમનું ટેલિફોનિક બેસણું તા.૩ ને શનિવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે. લૌકિક ક્રિયા હાલના સંજોગોને કારણે બંધ રાખેલ છે.  રવિ ગુંજન ૯૯૭૪૯ ૯૨૮૯૯, કુષ્ણકાંતભાઇ ૯૧૭૩૫ ૨૧૧૮૩, કિશોરભાઇ ૯૪૨૬૭ ૮૭૭૬૪, જીતુભાઇ ૯૧૭૩૫ ૨૧૧૨૪

(3:12 pm IST)