Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

હાથરસની હેવાનિયતના વિરોધમાં રાજકોટમાં NSUI દ્વારા યોગી આદિત્યનાથના પૂતળાનું દહન

પોલીસ દ્વારા 15થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરાઈ

રાજકોટઃ ઉત્તરપ્રદેશમાં યુવતી સાથે બનેલી ઘટનાના વિરોધમાં રાજકોટ NSUI દ્વારા ત્રિકોણબાગ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્તરપ્રદેશના સીએમ યોગી અદિત્યનાથના પૂતળાનું દહન NSUIના કાર્યકર્તાઓ દ્વારા કરાયું હતું  જે દરમિયાન રાજકોટ પોલીસ દ્વારા 15થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

 અત્રે ઉલ્લેખનીય છે કે, વિરોધ પ્રદર્શન દરમિયાન NSUIના કાર્યકર્તાઓ દ્વારા ભાજપ સરકાર વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

(10:08 am IST)