Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

પૂ.ગુરૂદેવે ૮૦ વર્ષ પૂર્વે સુચવેલો ઔષધિય પ્રયોગ આજે પણ અકસીર : ઔષધીય પ્રસાદ અમૃતધારા વિનામુલ્યે

કપૂર, પીપરમેન્ટ, અજવાઈનના મિશ્રણથી તૈયાર થતુ ઔષધીય પ્રવાહી કફ, શરદી, પેટના દર્દો સહિત અનેક સમસ્યાઓમાં ઉપયોગી : મહામારીના સમયમાં ગુરૂદેવના ભકત મધુભાઈ અનડકટ દરા અમૃતધારાનું વિતરણ : ઉપરોકત રોગોની પીડાના સમયે આનો પ્રયોગ હિતાવહ : દિવસમાં બે વખત નાશ, મીઠુ, રાય સાથે ઉત્તમ

રાજકોટ, તા. ૨ : પ.પુ.રણછોડદાસજી મહારાજે સમાજ સેવા આધ્યાત્મિકતા સાથે આયુર્વેદ અંગે પણ અનન્ય પ્રયોગો આપ્યા છે. વર્તમાન કોરોના મહામારીમાં પુ.ગુરૂદેવે શ્રી રણછોડદાસજીબાપુએ સુચવેલો અમૃતધારા પ્રયોગ અકસીર સાબિત થઇ શકે છે.

આ પ્રયોગ માટે કપૂર (રાંસકે ભીમસેની) મેન્થોલ (પીપરમેન્ટ) અજમાના ફુલ (થાયમોલ) સરખે ભાગે જરૂર મુજબ ૫૦,૧૦૦,૨૫૦ ગ્રામ ત્રણે વસ્તુ ભેગી કરવાથી ૨૪ કલાકમાં તે આપોઆપ પ્રવાહી બની જાય છે અને તે અમૃતધારા તરીકે ઓળખાય છે. આ ઔષધ એરટાઇટ બોટલમાં રાખવામાં આવે છે.

કફ, શરદી વગેરે માટે અમૃતધારા ઉતમ છે. અમૃતધારા ઉલટી, ઝાડા, તાવ, શરદી, ખાંસી, માથાનો દુઃખાવો, પેટના રોગો (આફરો,એસીડીટી) તથા દાંતના રોગો પાયરીયા, મોઢામાં પરૂ, હલતા દુઃખતા દાંત, મો ની દુર્ગધ, વાયુ, સાંધાના દુઃખાવા, રકતવિકાર, કફ, દમ, કાનનો દુઃખાવો, પરૂ નીકળવા, જંતુના ડંખ વગેરેમાં અમૃતધારા ઉપયોગી છે. આનો પ્રયોગ આવા રોગોથી પીડાતા સમયે કરવો હિતાવહ છે.

જો કે પુ.ગુરૂદેવે જણાવેલ કે દૂધ પીવડાવતી માતાને અમૃતધારા ન આપવુ કારણ કે કપુર દુધ ને સુકવી નાખે છે. પુ.ગુરૂદેવનું ખૂબ જ સાનિધ્ય પ્રાપ્ત કરેલ તેવા ધીરૂભાઇ હરિયાણી કહે છે કે અમૃતધારાની કોઇ આડઅસર નથી. મધુભાઇ કહે છે કોરોના લક્ષણો તાવ, શરદી, ગળાની બળતરા, કફ વિ. સમસ્યામાં અમૃતધારા અસરકારક છે દૂર કરનાર છે.

અમૃતધારા મેળવવા રાજકોટ પુ.ગુરૂદેવની પ્રસાદી સમાન અમૃતધારા મધુભાઇ અનડકટની ઓફીસ સેવન સ્ટાર જાગનાથ મંદિરની બાજુમાં યાજ્ઞિક રોડ ખાતે સવારે ૧૧-૩૦ થી ૧૨-૩૦ દરમિયાન સંપર્ક કરવો. વધારે વિગત માટે મો.૯૪૨૮૦ ૩૪૦૯૬.(૩૭.૩)

અમૃતધારા દિવ્ય ઔષધિનું વિનામુલ્યે વિતરણ

સવારે ૧૧-૩૦ થી ૧૨-૩૦ દરમિયાન (૧) મધુભાઇ અનડકટની ઓફીસ સેવન સ્ટાર જાગનાથ મંદિરની બાજુમાં યાજ્ઞિક રોડ રાજકોટ (ર) શ્રી સદગુરૂ આશ્રમ સદગુરૂ સેવા સદન ટ્રસ્ટ કુવાડવા રોડ સદગુરૂ રોડ મો. ૯૫૮૬૩ ૦૮૧૭૮ (૩) શ્રી રામ હાર્ડવેર મોલ કુવાડવા રોડ રાજમંદિર કોમ્પલેક્ષ શ્રી રામ પાર્ક, કુવાડવા રોડ રાજકોટ (મો. ૭૫૬૭૪ ૯૩૧૦૦) (૪) રાજકોટ લોહાણા મહાજન કાલાવડ રોડ અંડરબ્રીજની પાસે ભવાની ગોલાની સામે, રાજકોટ. મો. ૯૫૩૭૭ ૧૨૭૭૪, સમય ૧૧-૩૦ થી ૧૨-૩૦ (પ) જી. કોમ્પલેક્ષ કંસારા બજાર ઓફીસ નં.૧૦૯ મો. ૯૪૨૮૮ ૯૦૪૯૦ (૬) પ્રતાપભાઇ સિણોજીયા તુલસીપત્ર એપા. રામપાર્ક મેઇન રોડ, કાલાવડ રોડ (૭) ધીરૂભાઇ હરિયાણી મો. ૯૮૨૯૧ ૧૨૧૨૩ ખાતેથી થાય છે. આ અંગે વધારે માહિતી માટે મધુભાઇ (મો. ૯૪૨૮૦ ૩૪૦૬૯)નો સંપર્ક થઇ શકે છે.

અમૃતધારા ઔષધ વાપરવાની રીત

જરૂર પડે તો સીધો ઉપયોગ કરવો. પાણી, સાકર, મધ, પતાસા વગેરે સાથે અમૃતધારાના એક બે ટીપા લઇ શકાય. હોમીયોપેથીક નાની ગોળીમાં અમૃતધારાના ૧-ર ટીપા ભેળવીને લઇ શકાય.

(2:47 pm IST)